SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મ વર્ણન એ તેનાં લક્ષણા છે. પ્રચલિત વ્યવહારમાં ધ્યાન બહાર રહ્યાં હોય એવાં સત્યોનું આમાં વર્ણન હોય છે. દા. ત. આપણે શાહીના ખડિયાનું વર્ણન કરીએ તેા તે ધાતુ, કાચ, કે માટીના બન્યો છે તે કહેવું પડે અને શાહી રાતી, ભૂરી કે કાળી છે તે પણ કહેવું પડે. 85 આ જગતમાં આપણે એકલા જીવને કયાંય જોતાં નથી. જીવ, અજીવ સાથે હંમેશાં સંયુક્ત હોય છે. સામાન્ય વ્યવહારમાં જીવ એટલે આત્મા. સામાન્ય મનુષ્ય, અજ્ઞાનને કારણે પાતાના દેહને આત્મા માને છે અને પોતાના બધા વિચારો અને ધ્યાનને દેહના સુખ પર કેન્દ્રિત કરે છે. જીવનાં લક્ષણા વિષેનું અજ્ઞાન આપણાં દુ:ખોનું મૂળ કારણ છે. જૈન તત્ત્વદર્શન પ્રમાણે જીવ, અસૃષ્ટ અને અવિનાશી છે. ઉપર નોંધ્યા પ્રમાણે સૃષ્ટિ જીવ અને અજીવ, એવાં બે દ્રવ્યોની બનેલી છે. જીવનું મુખ્ય લક્ષણ ચૈતન્ય છે, જે જીવનનું લક્ષણ છે. સાવધાનપણુ–સતર્કપણું એ તેના સ્વભાવ છે કારણ કે તેના સિવાય, તે સંકલ્પશક્તિ ધરાવી ન શકે. કોઈ પણ પ્રકારનાં જ્ઞાન માટે તે જરૂરી છે. પ્રચલિત માન્યતા પ્રમાણે જીવ ચાર પ્રાણ ધરાવે છે. બળ અથવા શકિત, ઇન્દ્રિયા, આયુ અથવા જીવન અને આન-પ્રાણ એટલે કે શ્વસનક્રિયા. આ ચાર પ્રાણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય, ત્રણે કાળમાં તેની પાસે હાય છે. ઇન્દ્રિયો પાંચ છે: દર્શન, શ્રાવણ, સ્પર્શ, સ્વાદ અને પ્રાણ. બળ ત્રણ પ્રકારનું છે: શરીરનું, વાણીનું અને મનનું. લાકમાન્યતા પ્રમાણે આ ત્રણ જીવંત વ્યકિતઓના જીવનની નિશાની છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આ બધા ચૈતન્યના આવિર્ભાવે છે. પારિભાષિક રીતે ચૈતન્યને ઉપયોગ’ કહે છે. તેના બે પ્રકારના આવિર્ભાવા હાય છે : દર્શન અને જ્ઞાન, દર્શન અને જ્ઞાનમાં ફેર એ છે કે દર્શનમાં વિષયની બધી વિગતો ગ્રાહ્ય બનતી નથી. જયારે જ્ઞાનમાં આ બધી વિગતાનું ગ્રહણ કરી શકાય છે. જૈન દર્શનમાં વખતાવખત આવતી આ બે સંજ્ઞા વચ્ચેના ભેદ સ્પષ્ટ સમજી લેવા જોઈએ. જ્ઞાનપ્રાપ્તિની ક્રિયામાં દર્શન એક અનિશ્ચિત દશા છે. ઇન્દ્રિય અને તેના વિષયના સંસર્ગથી જ્ઞાનની પ્રક્રિયા શરૂ થાય છે અને પહેલાં તે ચૈતન્યને જાગૃત કરે છે. આ દશામાં માત્ર વિષયની ઉપસ્થિતિની જ ખબર પડે છે અને પરિણામે વિષયના અનિશ્ચિત અને અસ્પષ્ટ ખ્યાલ જ આવે છે. વિષયની વધુ માહિતી મળતી નથી તેથી વિષય અમુક વર્ગ કે અમુક પ્રકારના છે એવું સમજાતું નથી. મનુષ્યમનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy