SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મ અને આત્માનાં ઐકયને સિદ્ધાંત વેદાંતદર્શનનાં મૂળમાં છે અને પ્રાચીન ઉપનિષદમાં આ ભાવ વ્યકત થયા છે. શંકરાચાર્યે એવું પ્રતિપાદન કર્યું કે બ્રહ્મ પરમ સત્ય છે. વિશ્વની રચના વિવર્તને આધારે થઈ છે એટલે કે સને, તે જે નથી તેમાં આભાસ થાય છે જ. બ્રહ્મ, જગતમાં એક માત્ર સત્ય છે. આ અંદુત દર્શન છે. સાંખ્યદર્શન દૂતવાદને પુરસ્કાર કરે છે. પ્રકૃતિ અને પુરુષ એવાં બે તનું તે પ્રતિપાદન કરે છે. આ બંને એકબીજાથી સ્વતંત્ર અને સત્ય છે. પુરુષ ચૈતન્યમય છે અને તેની સંખ્યા અનંત છે. જગતના બધા દશ્ય પદાર્થો પ્રકૃતિમાંથી ઉદ્ભવે છે. તે ઉપરાંત બુદ્ધિ, અહંકાર અને મન જેવા સૂક્ષ્મ પદાર્થો પણ તેમાંથી જ ઉદભવે છે. પ્રકૃતિ, સત્વ, રજસ્ અને તમસ ની બનેલી છે. આ ત્રણ ગુણનાં જુદાં જુદાં પ્રકારનાં સંયોજનોને કારણે જગતમાં પરિવર્તન થાય છે એવું કહી શકાય. વિશિષ્ટદૂત અંતવાદનું પ્રતિપાદન કરે છે. તેનાં દર્શન પ્રમાણે બ્રહ્મ અથવા સત્ અંત નથી પણ એક મિશ્ર પ્રકારની એકતા છે, જેમાં એકતા અને ભિન્નતા બંનેનું સંયોજન છે. શંકર કેવલાદ્દતમાં માને છે, જેમાં ભિન્નતાને લોપ થયો હોય છે, જ્યારે રામાનુજના મતે ભિન્નતા માત્ર મનની રચના–માયા-નથી; રામાનુજના મતમાં ભિન્નતાને સત્તા ધરાવતાં તત્ત્વ સાથે સાંકળી દેવામાં આવી છે. આ પ્રકારની વિશિષ્ટ એકતામાં છેવટે ત્રણ તો છે : અચિત્, ચિત્ અને ઈશ્વર. આ ત્રણ તવો અનુક્રમે જડ પદાર્થો, જીવો અને પરમેશ્વરને સૂચવે છે. એક બાજુ ઈશ્વર અને બીજી બાજુ ચિત્ અને અચિના સંબંધ, દ્રવ્ય અને તેના ધર્મ જેવા છે. સત્ આમ સમ્મિશ્ર સ્વરૂપનું છે જે એક બ્રહ્માંડ અને તેના પર આધાર રાખનારાં-જગત અને જીવોનું બનેલું છે. વૈશેષિક દર્શન અનેક આત્માઓને અને જગતની સત્તાને માન્ય રાખે છે. સંવેદન, સંકલ્પ અને વિચારને આત્માનાં કાર્યો માનવામાં આવ્યાં છે. આ ભેદો બહુ મહત્ત્વના નથી. મુકિત પછીનાં આત્માનાં સ્વરૂપ વિષે તેમના વિચારો જુદા જુદા છે. જૈન દાર્શનિકોએ જીવનાં લક્ષણો બે દૃષ્ટિથી જોયાં છે : (૧) વ્યવહારનય અને (૨) નિશ્ચયનય. વ્યવહારનય એટલે પ્રચલિત દષ્ટિબિંદુ. મનુષ્ય પિતે જે રીતે પદાર્થોને જુએ કે જાણે તેને આ દષ્ટિબિંદુ આવરી લે છે. સામાન્ય રીતે લોકો જે સમજે તે જ આ દૃષ્ટિબિંદુમાં આવે (વહૃારો ગોવિતમ્). નિશ્ચયનય એટલે સત્યનું દૃષ્ટિબિંદુ, યથાર્થ દષ્ટિબિંદુ. યથાર્થ અભિવ્યક્તિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy