SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરતાના મહત્વના સિધ્ધાંતે વિષે જેનો સિવાય બીજા કોઈએ વિચાર કર્યો નથી તે ખાસ નોંધવું જોઈએ. આ બંને સિવાય સ્થિર વિશ્વની રચના અશક્ય અને અપૂર્ણ છે.” જેને ઈશ્વરને જગતના સર્જક માનતા નથી. આની સાથે સુસંગત રહીને તેમણે પોતાને વિશ્વને વિચાર ઘડયો છે. જૈન ચિંતકોના મત પ્રમાણે આકાશ શુદ્ધ અવકાશ હોઈ શકે અને તે બીજા પદાર્થોને અવકાશ આપે છે. તેને રૂપ નથી અને વિશ્વના બધા પદાર્થો તેમાં રહે છે. તે નિત્ય અને વ્યાપક છે. તે સૂક્ષ્મ દ્રવ્ય છે અને બીજાં દ્રવ્યોને બાધક નથી. આકાશના બે પ્રકારો છે. લોકાકાશ અને અલકાકાશ. જૈન તત્ત્વવિદ્યા પ્રમાણે લેક એકલે વિશ્વ. તેના ત્રણ વિભાગો છે: ઊધ્વલક અથવા સૌથી ઉપરનું જગત, મધ્યલોક અથવા વચ્ચેનું જગત અને અધલક અથવા નીચેનું જગત. ઊર્ધ્વલોકમાં દેવો વસે છે, મધ્યલોકમાં મનુષ્યો અને બીજાં પ્રાણીઓ વસે છે. અધલોક એટલે નરક જેમાં નારકી જીવો વસે છે. એક ઉપર એક રહેલાં આ ત્રણ જગતને વીંટળાઈ વાયુનાં ત્રણ આવરણો અથવા પડળો છે. સૌથી અંદરનું પડ ભેજવાળું છે, વચલું ઘન છે અને બહારનું વિરલિત છે. આ ત્રણ પડનાં આવરણની અંદર લોકાકાશ છે. તે અદશ્ય દ્રવ્ય છે અને બીજાં દ્રવ્યોને પોતાનામાં અવકાશ આપી રહેવા દે છે અને તેને વિસ્તાર લોક – વિશ્વ – જેટલો છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ લોકાકાશમાં રહેલાં છે. લોકાકાશની ઉપર અનંત અલકાકાશ વિસ્તરેલું છે. તે શુદ્ધ અવકાશ છે. તેમાં સજીવ કે નિર્જીવ કોઈ પદાર્થો હોતા નથી. ધર્મ અને અધર્મ, ગતિ અને સ્થિતિના સિદ્ધાંત અહીં હોતા નથી. તે નિત્ય, અનંત, રૂપરહિત અને માત્ર સર્વજ્ઞ વડે જ ગ્રાહ્ય છે. છઠું દ્રવ્ય કાળ છે. પ્રચલિત દૃષ્ટિકોણ અનુસાર કાળ બીજાં દ્રવ્યોમાં ફેરફાર કરે છે અને દ્રવ્યોમાંના ફેરફાર ઉપરથી તેને જાણી શકાય છે. કાળ પોતે પરિવર્તનનું કારણ નથી પણ પોતે વસ્તુઓના ફેરફારમાં આડકતરી સહાય કરે છે. પ્રચલિત માન્યતા પ્રમાણે કાળ વર્ષો, મહિનાઓ, દિવસે, કલાક, મિનિટો વગેરેને બને છે. તેને કારણે આપણે વસ્તુને નવી કે જાની કહીએ છીએ, તે વસ્તુમાં દેખાતા ફેરફારને કારણે આપણે તેને નવી કે જૂની ગણીએ છીએ. કાળ નિત્ય અને અનંત છે. તે રૂપરહિત છે. વસ્તુએ અનુભવેલાં પરિવર્તન ઉપરથી સમયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy