SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ અત્રે એ કહેવું જોઈએ કે મુક્ત જીવા કર્યું છે એવા જીવા, સૃષ્ટિની ટોચ ઉપર, ઉપર એટલે કે જેમણે પૂર્ણત્વ પ્રાપ્ત અત્યંત શુદ્ધ દશામાં વસે છે. ધર્મ એવું દ્રવ્ય છે કે જે જંગમ પુદ્ગલ અને જીવને ગતિમાં સહાય આપે છે. અહીં હાલતી માછલીની ગતિમાં સહાય કરતાં જળનું ઉદાહરણ આપી શકાય. અધર્મ સ્થિર જીવા અને પુદ્ગલને સ્થિતિમાં સહાયક થાય છે. અહીં મુસાફરને થાભવામાં સહાય કરતી (વૃક્ષની) છાયાનું ઉદાહરણ આપી શકાય. તે સ્થિતિનું માધ્યમ છે. આ બંને અમૂર્ત, અ-પરમાણુરૂપ અને સતત માધ્યમ છે તેમજ સમસ્ત લેાકાકાશમાં વ્યાપ્ત છે. જો કે વ્યવહારની સરળતા ખાતર તેને પ્રદેશ ( Space-points—આકાશના અત્યંત નાના ભાગ )ના બનેલા માનવામાં આવે છે. તેઓ ‘સત્'ના ગુણા ધરાવે છે, એટલે કે તેઓ પરિવર્તનશીલ છે-પરિવર્તનનું ચક્ર અનુભવે છે. નવાં રૂપો અદશ્ય થતાં જાય છે, જૂનાં રૂપા દેખાતાં જાય છે. અને ચક્ર પૂરું થતાં મૂળરૂપ પાછું આવે છે. “ધર્મ અને અધર્મ આકાશ મારફત વિશ્વના છેડા સુધી વ્યાપેલાં છે. સ્વરૂપે તેઓ અત્યંત અભૌતિક અને બંધારણમાં અ-પરમાણુરૂપ અને અ-પૃથક્ છે. તેમનામાં પુદ્ગલના ધર્મ હોતા નથી તેમજ તેઓ આકાશ-પ્રદેશનાં પણ બનેલાં નથી. ધર્મ અને અધર્મના સિદ્ધાંતા અત્યંત સરળ છે. તે આકાશીય છે છતાં આકાશીય નથી. તેઓ અમૂર્ત અને અરૂપ હોય છે. તેઓ હળવાં નથી તેમ ભારે પણ નથી. તેઓ ઇન્દ્રિયગ્રાહ્ય નથી. તેમના કાર્ય દ્વારા જ તે અનુમેય છે. જૈન ધર્મની વિશિષ્ટતારૂપ આ બંને દ્રવ્યો—ધર્મ અને અધર્મ—નાં આવાં લક્ષણા છે. ધર્મ અને અધર્મ ક્રિયાશીલ પરિબળા નથી પરંતુ નિષ્ક્રિય માધ્યમે છે. જી. આર. જૈનનું માનવું છે કે ગતિના માધ્યમનું આધુનિક સામ્ય ‘થર’ છે. આજદિન સુધી ઈથર કોયડારૂપ રહ્યું છે. તેમના મત પ્રમાણે સ્થિરતાના માધ્યમનું વૈજ્ઞાનિક સામ્ય એવું ‘ક્ષેત્ર' છે, જેની મારફત વિશ્વની એકતા જાળવી રાખનારાં બળા કાર્ય કરે છે. આ માધ્યમ વગર જીવ અને અણુઓની સામંજસ્યભરી વ્યવસ્થા રહેશે નહીં. સર્વત્ર અવ્યવસ્થા પ્રવર્તશે અને વિશ્વનું અસ્તિત્વ જ શકય નહીં બને. ક્ષેત્ર ઇથરના જેવું છે કારણ કે તે પણ અભૌતિક, અદૃશ્ય, અ-પરમાણુરૂપ, સતત અને નિષ્ક્રિય માધ્યમ છે પણ તેનું કાર્ય સાવ વિરોધી છે. વિશ્વના પ્રત્યેક ભાગમાં આ બંને માધ્યમા એકબીજાને ભેદે છે પણ એકબીજાનાં કાર્યમાં દરમ્યાનગીરી કરતાં નથી. તેઓ અંતે કહે છે: “ વિશ્વની ઉત્ક્રાંતિના સિધ્ધાંતો ઘડવામાં બધાં ભારતીય દર્શનાએ ઘણા શ્રમ ઉઠાવ્યો છે પણ ગતિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy