SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પ્રાર્થના અને પૂજાનાં વિશિષ્ટ લક્ષણાને જે. એલ. જૈનીએ ટૂંકમાં નોંધ્યાં છે. ચાર મુદ્દાઓ નોંધવા જેવા છે : (૧) જૈન ધર્મનું કઠોર વલણ. પૂજા અને સન્માનને પાત્ર સર્વ જીવોની પૂજા તેમ જ પ્રાર્થના કરવાની છે — પછી તે જીવ ગમે તે સ્થળ કે ગમે તે સમયના હોય. આ પૂજા સંપૂર્ણ રીતે અવૈયક્તિક હોય છે. (૨) કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિની નહીં પણ ગુણસમૂહની પ્રાર્થના કરવાની હાય છે. (૩) જૈનં સાક્ષાત્ ધ્યેય અર્હત છે. તેણે જગતના ત્યાગ કર્યો હોય છે. સત્યનું અન્વેષણ કરવા ઇચ્છતી વ્યક્તિ, આયાસ કર્યા વગર તેની પ્રાપ્તિ કરી શકતી નથી. (૪) જૈન મંત્ર ‘ૐ’ પાંચ ધ્વનિઓના બનેલા છે. અ, અ, આ, ઉ, અને મ. આ પાંચે ધ્વનિઓ અનુક્રમે અર્હત્, અશરીર એટલે કે દેહરહિત સિદ્ધો, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ –– ના પ્રતિકરૂપ છે. ૧૧ પ્રાર્થના અને પૂજાના માધ્યમ દ્વારા આપણે આપણા ધ્યેય માટે સન્માન અને પ્રેમ વ્યક્ત કરીએ છીએ, એટલું જ નહીં પણ આ પ્રાર્થના અને પૂજા આત્મસાક્ષાત્કારમાં મનને પરમ આનંદમય, ઉત્સાહપૂર્ણ સ્થિતિ પર લાવે છે. અંતમાં એટલું ઉમેરવું જોઈએ કે ઈશ્વર માટેના આદર્શમય વિચાર છતાં જૈન સંતા અને કવિઓએ પોતાના અનુયાયીઓને બીજા ધર્મ પ્રત્યે સહિષ્ણુ બનતાં શીખવ્યું છે. તેમના અનેકાન્તવાદના સિદ્ધાંતે કદાચ તેમને વિશ્વબંધુત્વના દૃષ્ટિકોણ આપ્યો. આ કારણે જ તેઓ બીજાનું દૃષ્ટિબિંદુ સમજી શકતા હશે. અહીં એક જૈન સંતના શ્લોક ટાંકયા છે જેના સાર એવા છે કે તમે કયા નામે ઈશ્વરને બાલાવશે! તે અગત્યનું નથી, કારણ કે બધા જ ધર્મમાં ઈશ્વર વિશુદ્ધિ, કરુણા અને દિવ્યતાના ગુણ ધરાવતા હોય છે. विष्णुर्वा त्रिपुरान्तको भवतु वा ब्रह्मा सुरेन्द्रोऽथवा भानुर्वा शशलाञ्छनोऽथ भगवान्बुद्धोऽपि सिद्धोऽथवा । रागद्वेषविषातिदोष रहितः सत्त्वानुकम्पोद्यतः यः सर्वैः सह संस्कृतो गुणगणैस्तस्मै नमः सर्वदा || ૫૫ “રાગ, દ્વેષ જેવા મનુષ્યના મનને વિષની જેમ આવરી લેતા દોષોથી જે મુક્ત છે, જે કરુણાપૂર્ણ છે અને સર્વ ગુણાથી સંપૂર્ણ છે તે વિષ્ણુ, શિવ, બ્રહ્મા, ઇન્દ્ર, સૂર્ય, ચન્દ્ર, કે બુદ્ધ ગમે તે હા તેને મારાં પ્રણામ છે.” જે. એલ. જૈની પોતાના પુસ્તકમાં ઈશ્વર વિષેના વિચારોના સંક્ષેપ સાદા પણ જુસ્સાદાર શબ્દોમાં કરે છે. તેમના એક ફકરો અત્રે ટાંકવાની રજા લઉં છું. બીજા કોઈ પણ સંપ્રદાય કરતાં જૈન ધર્મ મનુષ્યને સંપૂર્ણ ધાર્મિક "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy