SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્રતા આપે છે. આપણે કરેલાં કર્મ અને તેનાં ફળ વચ્ચે કોઈ આવી શકતું નથી. એક વખત આરંભ થતાં, કર્મ આપણા પર પ્રભુત્વ જમાવી બેસે છે. અને ફળ્યા વગર રહેતાં નથી. મનુષ્ય ઘણે સ્વતંત્ર છે પણ તેનાં કર્તવ્યો પણ એટલાં જ છે. તે ફાવે તેમ રહી શકે છે પણ તેનાં કર્મ અટળ છે અને તે કર્મોનાં પરિણામમાંથી છટકી શકે નહીં. આ સિદ્ધાંત જૈન ધર્મને ખ્રિસ્તી, ઈસ્લામ અને હિંદુ ધર્મ જેવા ધર્મોથી જુદો પાડે છે. કોઈ ઈશ્વર, કોઈ પયગંબર કે ઈશ્વરનો કોઈ પ્રતિનિધિ કે પ્રીતિપાત્ર મનુષ્યજીવનમાં દરમ્યાનગીરી કરી શકે નહીં. એકમાત્ર મનુષ્ય જ પોતાનાં તમામ કર્મો માટે જવાબદાર છે. અંતમાં, સર્જક કે સંરક્ષકરૂપે ઈશ્વરના અસ્તિત્વમાં જૈન ધર્મ માનતો નથી. પૂર્ણત્વ પામેલો જીવ જ પરમેશ્વર છે. અનંત ચૈતન્ય, જ્ઞાન, શક્તિ અને આનંદ, જે સંપૂર્ણતાનાં લક્ષણો છે તે પ્રત્યેક જીવમાં સુષુપ્તરૂપે રહેલાં જ છે. ભૌતિક જગતમાં આ લક્ષણો કર્મના આવરણથી ઢંકાએલાં છે. પૂર્ણતાના આદર્શરૂપ તીર્થકરેએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્રને જે અનુસરે છે તે પોતાનાં સુષુપ્ત બળને સાક્ષાત્કાર કરી દિવ્યતા મેળવી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy