SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ એવી વર્તણૂક ઘડવી તેને ચારિત્રાચાર કહે છે. જીવ પોતાનું સાચું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તે માટે વિવિધ પ્રકારની તપસ્યા અને આકરાં વ્રત પાળવા તે તપાચાર. પિતામાં જ અંહિત, સુષુપ્ત બળને એવી રીતે વિકસાવવું જેથી આત્મસાક્ષાત્કારમાં જીવને કોઈ પ્રકારનું વિદન ન રહે. આને વીર્યાચાર કહે છે. જે આચાર્ય આ ગુણોનો ઉપદેશ આપે છે અને સ્વયં આ ગુણો પ્રમાણે આચરણ કરે છે તે સન્માન અને આદરને પાત્ર છે. રત્નત્રય ધરાવતા અને ધર્મસિદ્ધાંતના ઉપદેશમાં નિરંતર મગ્ન રહેતા ગુરુને આચાર્ય કહે છે. પોતાના ઉપદેશ દ્વારા ધર્મના આચાર અને અનુસરણ માટે લોકોને પ્રેરણા આપતા હોવાથી ઉપાધ્યાયને સન્માનપાત્ર ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. વિચાર અને આચારની શુદ્ધિ સાથે પૂર્ણ દર્શન અને જ્ઞાન સહિત મોક્ષમાર્ગે જનારને સાધુ કહે છે. તે તપસ્યા કરે છે અને મોક્ષપ્રાપ્તિને અનુરૂપ કાર્યોમાં રત રહે છે. આ પાંચ પરમેષ્ઠીઓને રોજ વંદન કરી માન આપવાનું હોય છે. તેઓ એવા ગુણો ધરાવે છે, જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી માનસિક શાંતિ મળે છે, સદાચારનું ઘડતર થાય છે અને જીવના સાચા સ્વરૂપનું સાચું જ્ઞાન મળે છે. ધ્યાનની પહેલી દશામાં આચરણની સ્થિરતા પ્રાપ્ત કરવાની હોય છે જયારે બીજી દશામાં જીવના સાચા સ્વરૂપના ચિતનમાં એકાગ્રતા આવે છે. સાંસારિક પરિગ્રહની તૃષ્ણા કે આસકિતમાંથી મન મુકત થાય છે. ભ્રમ, દ્વેષ, ક્રોધ, ધિક્કાર, માન, અને લાભ જેવી દુર્બળતા દૂર થાય છે અને મન પૂર્ણ સમત્વને પ્રાપ્ત કરે છે. ધ્યાનની તૈયારીની આ પ્રાથમિક દશા છે. તે પછી બાહ્ય પદાર્થો પરત્વેનાં મન, વાણી અને કર્મના વ્યાપારો પર પૂર્ણ સંયમ મેળવી બધી શક્તિઓને અંતર્મુખ કરીને જીવના સ્વરૂપનું ધ્યાન ધરવાનું હોય છે. જેને ધ્યાન ધરવાની ઇચ્છા હોય તેણે ધર્મગ્રંથનાં જ્ઞાન, વિવિધ પ્રકારનાં વ્રતોનાં પાલન અને તપશ્ચર્યા દ્વારા પૂર્વતૈયારી કરવાની હોય છે. જૈન ધર્મની પૂજા તેમ જ પ્રાર્થનાનું આ સાચું સ્વરૂપ છે. પાંચ પરમેષ્ઠીઓના ગુણોને ધર્મગ્રંથને નિયમિત અભ્યાસ વગર જાણવા અશકય છે. ધર્મગ્રંથોનું જ્ઞાન આપણી ધાર્મિક શ્રદ્ધાને બળ આપે છે અને જીવમાં રહેલી આંતરિક સુષુપ્ત શક્તિઓનું ભાન કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy