SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ “અહંતને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયને નમસ્કાર, જગતના સર્વ સાધુઓને નમસ્કાર.” આ મંત્રને “પાંચણમોકારમંત્ર' કહે છે કારણ કે તેમાં આપણા ભકિતભાવભર્યા પ્રણિપાતને પાત્ર એવા પાંચ સર્વકોષ્ઠ છે, એટલે કે પાંચ પરમેષ્ઠીઓની પ્રાર્થના છે. આ પ્રણામ કેટલાં વ્યાપક છે તે જોઈ શકાશે. આમાં કશું કોઈ અમુક સંપ્રદાય પૂરતું મર્યાદિત નથી. કોઈ પણ વિશિષ્ટ દેવ કે આચાર્ય કરતાં આમાં સગુણ અને પુણ્ય પર વધુ ધ્યાન અપાયું છે. સંગ્રહ નામના પિતાના પુસ્તકના ૫૦-૫૪ શ્લોકોમાં નેમિચન્દ્ર આ પ્રત્યેક પરમેષ્ઠી કયા સદ્ગુણો અને આદર્શોના પ્રતિનિધિરૂપ છે તે સમજાવ્યું છે. ઈશ્વર વિષેના વિચારનું નિરૂપણ કરતાં અહંતના ગુણોનું નિરૂપણ પણ મેં કર્યું છે. તે એક શુભ દેહમાં રહેલ વિશુદ્ધ જીવ છે, અનંત ધર્મ, આનંદ, જ્ઞાન, અને શકિત ધરાવે છે અને તેનાં ચાર પ્રકારનાં કર્મોનો ક્ષય થયો હોય છે. ખરું જોતાં અહંત દેહરહિત હોય છે પણ પ્રચલિત વિચાર પ્રમાણે તે તેજસ્વી દેહ ધરાવતા હોવાનું કહેવાય છે. સિદ્ધનું ધ્યાન એટલે આઠ પ્રકારનાં કર્મથી પ્રાપ્ત થતા દેહ વિનાના જીવનું ધ્યાન; તે લોક અને અલોકનો દૃષ્ટા તેમજ જ્ઞાતા છે અને વિશ્વના સર્વોચ્ચ સ્થળ પર વસે છે. સિદ્ધો દેહરહિત હોય છે તેથી ઇન્દ્રિયગ્રાહ્ય હતા નથી. તેમને છાયામય આકાર માનવાકૃતિ જેવો હોય છે. લોકાકાશના જે શિખર પર તે વસે છે, તેને સિદ્ધશિલા કહે છે. જૈન ધર્મ પ્રમાણે લોકાકાશ કે અલકાકાશની ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની પ્રત્યેક વસ્તુનું સિદ્ધને જ્ઞાન હોય છે. કેટલીક ચમત્કારિક શકિત ધરાવતા સામાન્ય સાધુઓ કરતાં સિદ્ધો સાવ જુદા પ્રકારના હોય છે. પ્રાર્થનામાં જે આચાર્યને નમસ્કાર કર્યા છે તે આચાર્ય પાંચ પ્રકારના આચારોનું પાલન કરે છે. આ પાંચ આચાલે છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. દેહથી ભિન્ન હોવાને કારણે પરમ ચૈતન્યમય જીવ જ ધ્યાન ધરવા પાત્ર છે એવી શ્રદ્ધા કેળવવી તે દર્શનાચાર, જીવ વિશુદ્ધ અને પૂર્ણ છે અને રાગ, દ્વેષ, ભ્રમથી તદ્દન અલિપ્ત છે એવાં જ્ઞાનનો વિકાસ કરવો તે જ્ઞાનાચાર. સર્વ પ્રકારની આસકિત અને બીજાં બાધક તોથી મુકત રહીને, મન, જીવના સ્વરૂપ પર પ્રશાંત સ્થિર ચિંતન કરી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy