SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ટૂંકમાં, જગત એક ચૈતન્યમય, જ્ઞાનમય ઈશ્વર વડે સર્જાયું એવી તૈયાયિકોની માન્યતા જૈનોને સ્વીકાર્ય નથી. ઈશ્વર સર્વવ્યાપી છે એવું તે સ્વીકારતા નથી કારણ કે જો તે સર્વત્ર હોય તો તે બધી વસ્તુને પોતાનામાં સમાવી લેશે, અને તેની બહાર કાંઈ રહેશે નહીં. વિશ્વને સમજાવવા માટે તે ઈશ્વરને જરૂરી ગણતા નથી. પ્રત્યેક જીવ દિવ્ય છે અને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે એવા હોય છે. જૈન દર્શનમાં ઈશ્વરના વિચાર એટલે મનુષ્યની દિવ્યતા, સ્થિર દર્શન, યથાર્થ ગ્રહણ, પૂર્ણજ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર્યથી આ દિવ્યતા પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્ય સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે; તેનાં કર્મ અને કર્મફળની વચ્ચે કોઈની દરમ્યાનગીરી ચાલી શકતી નથી. આ પ્રકારનું દર્શન નિર્બળ મનને સ્વીકાર્ય હોતું નથી. સ્ત્રી કે પુરુષો દુ:ખમાં આવી પડે ત્યારે એવી કોઈ દિવ્ય શકિતની મદદ માંગે છે જે તેમને મુશ્કેલીમાં સહાય કરે અને તેમનાં દુ:ખાને હળવાં કરે. તેઓ કૃપા અને અનુગ્રહની યાચના કરે છે પણ તેઓ ભૂલી જાય છે કે તે પોતે જ પેાતાનાં ભાગ્યવિધાતા હાય છે અને તેમનાં સુખ કે દુઃખ તેમણે પાતે જ સર્જેલાં છે. કદાચ આવાં માણસાનાં આશ્વાસન માટે જ પાછળથી યક્ષ અને યક્ષિણીના પંથ નીકળ્યો હશે. હીરાલાલ જૈનના મત પ્રમાણે જૈનાએ પોતાનાં મંદિરોમાં યક્ષ, નાગ અને બીજાં દેવદેવીને તીર્થંકરોનાં રક્ષક તરીકે સ્થાન આપ્યું કારણ કે તેઓ તેમને માટે મંદિરો બાંધતા અનાર્યની ભાવનાનું સન્માન કરવા માંગતા હતા. એક વખત ભારતમાં યક્ષ સંપ્રદાય પ્રચલિત થયા પછી યક્ષી અને બીજાં સ્વરૂપોના સંપ્રદાય પણ ફેલાયો. તેઓ કુલદેવતા હતાં. લાકોએ જૈન જીવનસરણી ગ્રહણ કરી પછી તેઓ પોતાની સાથે આ કુલદેવતાના વિચાર પણ લાવ્યા. જૈન આચાર્યોએ જૈન દેવામાં તેમને ગૌણ સ્થાન આપ્યું અને ક્રિયાકાંડામાં પણ તેમને સ્થાન મળ્યું. જૈન પુરાણામાં યક્ષ અને યક્ષિણીઓના ઉલ્લેખ આવે છે. ધરણેન્દ્ર અને પદ્માવતીને તીર્થંકર પાર્શ્વનાથની સાથે સાંકળવામાં આવ્યાં છે. તીર્થ કરોનું ધ્યાનભંગ કરવા ક્રૂર હુમલા કરતા દુશ્મનોથી તેમણે રક્ષણ કર્યું એવું કહેવાય છે. ઇચ્છા પૂર્ણ થાય તા કોઈ વસ્તુ ધરાવવાની માનતા રાખીને તેમની પૂજા કરવામાં આવે છે, તાન્ત્રિક તેમ જ માન્ત્રિક કર્મકાંડથી જૈન ધર્મ અનભિજ્ઞ છે. પણ ઇચ્છા પૂર્ણ કરે એવાં દેવદેવીઓથી ભરેલા હિંદુધર્મની અસરમાંથી સ્રીપુરુષોને દૂર રાખવા આવાં દેવદેવીઓની પૂજા વિચારવામાં આવી હશે. ટી. જી. કલઘાટગી કહે છે : “ તાન્ત્રિક વિધિઓ સાથેના જવાલામાલિનીના પંથ આ જાતની પૂજાના બીજો એક પ્રકાર ગણી શકાય. આ સંપ્રદાયના પ્રવર્તક, પોન્નૂરના હેમાચાર્ય હાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy