SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘના સૌ સભ્યો માન આપે છે અને દૈનિક જીવનમાં પણ તેમના આદેશનું સૌ પાલન કરે છે. તેમના આચાર પ્રમાણે ગુરુને તેમણે દરરોજ પ્રણામ કરવાના હોય છે. કલકત્તા અને બીજાં શહેરોમાં આ સંપ્રદાયનાં ઘણા અનુયાયીઓ હોવા છતાં ભારતના પશ્ચિમ ભાગમાં આવા અનુયાયીઓની સંખ્યા વધુ છે. યાપનીય સંઘ દિગંબર અને શ્વેતાંબર ઉપરાંત યાપનીય સંઘ નામનો એક પ્રાચીન સંઘ પણ છે. તેને ગૌણ સંઘ પણ કહે છે. આ માર્ગની સ્થાપના શ્રીલશ નામના વેતાંબર સાધુએ ઈ. સ. ૧૪૮માં કરી. સંઘના બે વિભાગો પડયા પછી ૭૦ વર્ષે આ સંઘ સ્થપાયો હોવાથી આ માર્ગ બંને માર્ગોના સમન્વયરૂપ હોય એવું લાગે છે. આ પંથને ઉદ્ભવ ઉત્તર કર્ણાટકમાં થયો લાગે છે. કનડપ્રદેશના શિલાલેખમાં યાપનીયોને ઉલ્લેખ વારંવાર આવે છે. આનાથી ઊલટું, બીજા પ્રદેશમાં કયાંય આવો ઉલ્લેખ મળતો ન હોવાથી, પાપની માત્ર કર્ણાટકના જૈન ધર્મમાં જ હતા એવું કહી શકાય. લગભગ પાંચમી સદીથી ચૌદમી સુધી તેમનું બળ ઉત્તરોત્તર વધતું ગયું. તેમણે પિતાના સંઘો રચ્યા અને કર્ણાટકના ઘણા ભાગોમાંથી રાજાઓએ તેમને ઉત્તેજન આપ્યું. પ્રજાના પણ ઘણા વર્ગોને ટેકો તેમને મળ્યો. યાપનીય સાધુઓનું મુખ્ય સ્થાન બેલગામ જિલ્લાના સૌનદત્તી તાલુકાના હસર અને મનેલી ગામોમાં છે. આ નવા માર્ગે ઘણે ઉદાર દૃષ્ટિકોણ અપનાવ્યો હોય એવું લાગે છે. તેના સ્થાપકોએ સુધારાવાદી વલણ અપનાવ્યું, પણ કેટલાંક મહત્તવનાં દિગંબરોનાં તેમ જ શ્વેતાંબરોનાં લક્ષણોને તેમણે જાળવી રાખ્યાં. આ પંથના સાધુઓ નગ્ન રહેતા. તેઓ મયૂરપિચ્છને રજો લઈ ફરતા અને હાથમાં ભેજન કરતા. તેઓ નગ્ન પ્રતિમાઓની પૂજા કરતા અને પ્રણામ કરતા ભક્તોને સંઘર્મવૃદ્ધિરતું (સાચા ધર્મની વૃદ્ધિ થાઓ)’ એ આશીર્વાદ આપતા. સ્ત્રીઓ પણ મોક્ષ મેળવી શકે અને કેવલીઓ તેમની પાસેથી ભોજન વહોરી શકે એવી શ્વેતાંબર માન્યતા તેમણે સ્વીકારી. પાલ્યકીતિને નામે ઓળખાતા વૈયાકરણ શાકટાયન આ પંથને હતો. પાલ્યકીતિએ રચેલાં પુસ્તકો તેમના અનુયાયીઓ વાંચતા. Aવેતાંબર પરંપરા પર આધારિત કેટલાક ધર્મગ્રંથે તેઓ સ્વીકારતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy