SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ યાપનીયો ઘણા ઉદારમતવાદી લાગે છે. તેઓ એમ માને છે કે બીજા સિદ્ધાંતમાં માનનારાઓ, તેમ જ ગૃહસ્થો પણ મોક્ષ મેળવી શકે છે. આવી ઉદાર અને વિશ્વાસ ઉત્પન્ન કરે એવી માન્યતાઓને કારણે જ્યાં જતા ત્યાં આ સાધુઓનું ઉષ્માભર્યું સ્વાગત થતું. આવી જ સમાઈ જવાની વૃત્તિ અને અનુકૂળ થઈને રહેવાની આવડતને કારણે યક્ષીપંથ પ્રચલિત થયો. દક્ષિણ ભારતના જૈન પુરોહિતોએ દેવની પૂજાવિધિ અને ક્રિયાકાંડમાં ઘણા નવા પ્રયોગો પ્રચલિત કર્યા. થાપનીય અને તેમના મતને સમાજના રૂઢિચુસ્ત વર્ગોએ વિરોધ કર્યો. તેમની લોકપ્રિયતાનાં ઘણાં કારણો હતાં. ધાર્મિક સિદ્ધાંતમાં વળવાની વૃત્તિ, સામાન્ય જમાં છૂટથી હરવુંફરવું, બીજા સંપ્રદાયોને છેડી છુટછાટ આપવી, યક્ષ અને યક્ષિણીની પ્રથા દાખલ કરવી, રાજા અને પ્રજા પાસેથી મળતી ઉદાર મદદમાંથી ધાર્મિક સંસ્થાઓ સ્થાપવી અને સ્ત્રીઓને સાધ્વધર્મમાં પ્રવેશ કરવા ઉત્તેજન આપવું–આવાં કારણોથી આ સંઘ લોકપ્રિય બન્યો. સિદ્ધાંતની લોકપ્રિયતા અને પ્રજાજીવન પર સાધુઓ અને સાધ્વીઓની આટલી પકડ હોવા છતાં આ નવો માર્ગ કયારે અદશ્ય થયો તે કહેવું મુશ્કેલ છે. પંદરમી સદીના અંત સુધી તે પ્રચલિત હશે એવું બેલગામ જિલ્લાના કાગવાડા પાસે મળેલા વિક્રમ સંવત ૧૪૫૧ના આલેખોમાંથી આ સંપ્રદાયના બે સાધુ–ધર્મકીર્તિ અને નાગચન્દ્રના મૃત્યુને ઉલ્લેખ થયો છે તે પરથી પુરવાર થાય છે. Life of Bahubali'માં રતનનન્દી આચાર્યો તેમ જ બીજાં કેટલાંક પુસ્તકોમાં અર્ધફલક પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રતનનંદીનું કહેવું છે કે સંપ્રદાયના સાધુઓ વસ્ત્રના ટુકડાથી તેમની નગ્નતાને ઢાંકતા. આ ઉપરથી એવું અનુમાન થઈ શકે કે જૈન સમાજના શ્વેતાંબર સંપ્રદાયને પૂરો વિકાસ થયો તે પહેલાં આ સંઘ પ્રચલિત હશે. પંથોની સંખ્યા ગમે તેટલી હોય, પણ તીર્થ કરો અને તેમણે ઉપદેશેલા સિદ્ધાંતને બધા જ પંથે માન્ય રાખે છે. મતભેદો માત્ર ઉપરઉપરના જ છે. જૈનધર્મનાં નીતિશાસ્ત્ર, તત્ત્વવિદ્યા કે ઈશ્વરજ્ઞાનના સ્વરૂપ અંગે મતભેદ છે, અંતસ્તત્ત્વ અંગે કોઈ મતભેદ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy