SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ મેહમ્મદશાહનું મૃત્યુ થયું ત્યારે તેઓ ઘણા દુ:ખી થયા અને નોકરી છોડી દીધી. તેમના અક્ષરોથી ખુશ થઈને જ્ઞાનશ્રી નામના મુનિએ ધર્મગ્રંથોની નકલ કરવાનું કામ તેમને સોંપ્યું. તેમણે ઘણા ધર્મગ્રંથોની નકલ કરી. આ કામ કરતાં એક એક નકલ તેઓ પોતાને માટે પણ રાખતા. વખત જતાં તેમને લાગ્યું કે મૂર્તિની પૂજા કરવાની જે રીતે તે સમયે પ્રચલિત હતી તે ધર્મગ્રંથને અનુસરતી ન હતી. તેથી તેમણે જૈન ધર્મમાં સુધારો કરવા ધાર્યો. તેમનાં વ્યાખ્યાને સાંભળવા અમદાવાદમાં જે લોકો આવતા તેમના પર આ વ્યાખ્યાનોનો બહુ પ્રભાવ પડયો અને તેમણે કાશાહને પિતાનું નેતૃત્વ લેવા વિનંતિ કરી. પોતે ગૃહસ્થ હોવાથી આવું નેતૃત્વ લેવાની લીંકાશાહે ના પાડી. જ્ઞાનશ્રીમુનિએ તેમને સાધુધર્મની દીક્ષા આપી તે પછી લોકાગચ્છનો ઉદ્ભવ થયો. બીજું બયાન એવું છે કે એક મુસ્લિમને શિકાર કરતો જોઈને દુ:ખ અને કરુણાથી તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેમણે શાહની સેવા છોડી દીધી. આ વિચારધારાના અનુયાયીઓ “ટુંડિયા’ કહેવાતા. તેઓ સ્થાનકવાસી પણ કહેવાતા કારણકે તેઓ પોતાની ધર્મક્રિયાઓ “સ્થાનક' – જે પ્રાર્થના ખંડ જેવા છે – તેમાં કરે છે. આ પંથના અનુયાયીઓ ગુજરાત, મારવાડ, કાઠિયાવાડ વગેરેમાં વધારે પ્રમાણમાં મળે છે. તેઓ પોતાને વેતાંબર પંથના ગણાવે છે. પણ ધાર્મિક ક્રિયાનાં અનુષ્ઠાનમાં સ્થાનકવાસી શ્વેતાંબરોથી જુદા પડે છે. સ્થાનકવાસીઓ મંદિર બાંધતા નથી, મૂર્તિપૂજામાં માનતા નથી અને યાત્રાધામોમાં પણ માનતા નથી. તેઓ પોતાના મુખ પર સફેદ પટ્ટી બાંધે છે. લોકાશાહની માફક તેઓ ધર્મગ્રંથોમાંથી માત્ર અગિયાર ધર્મગ્રંથોની પ્રમાણિકતા સ્વીકારે છે. લગભગ અઢારમી સદીમાં સત્યવિજય મુનિએ શ્વેતાંબર સાધુઓને પીળાં વસ્ત્ર પહેરવાનું કહ્યું જેથી તેઓ સ્થાનકવાસીઓથી જુદા પડે. એ રિવાજ આજ સુધી ચાલુ છે. અ-મૂર્તિપૂજક તેરાપંથીઓ આ પેટાસંપ્રદાય આચાર્ય ભિક્ષુ અથવા ભિકમઋષિએ મારવાડમાં સ્થાપ્યો હતો. અત્યારના રાજસ્થાન પરંતુ પહેલાંના જોધપુરના કાંટલિયામાં લગભગ ઈ. સ. ૧૮૬૦માં તેઓ જમ્યા હતા અને ઈ. સ. ૧૮૮૫ (સંવત ૧૮૦૩)માં તેમણે સાધુધર્મની દીક્ષા લીધી. ધર્મનું મૂળ અહિંસા હોવા છતાં આપણે આપણાં દૈનિક જીવનમાં હિંસા આચરીને ધર્મને બદલે અધર્મનું આચરણ કરીએ છીએ, એવી દલીલને આધારે તેમણે આ પંથ સ્થાપ્યો. મુનિના અગ્રણીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy