SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કરે છે અને પૂજામાં સુગંધી દ્રવ્યો તેમ જ ધૂપના ઉપયોગ કરે છે. તેઓ ગીત ગાય છે અને જ્યાતિષને આધારે ભવિષ્યકથન કરે છે. તેમનામાં ઉપકેશગચ્છ, ખરતરગચ્છ, તપાગચ્છ જેવા અનેક સંઘ છે. ચૈત્યવાસી ( મંદિરમાં રહેનારા ) આ પેટાસંઘની ઉત્પત્તિના ચાક્કસ સમય માટે મતભેદ છે, પણ ઈસવી સનની ચોથી સદીના પ્રારંભમાં તેનો ઉદ્ભવ થયો હશે. કલ્યાણવિજયજીના મત એવા છે કે આ પંથના ઉદ્ભવ ઈ. સ. ૩૫૫ પહેલાં થયા હશે. આ સંઘના અનુયાયીઓએ વિહારોમાં રહેવાનું છોડી દીધું અને તેમના ચારિત્ર્યમાં શિથિલતા વધવા લાગી. તેઓ મંદિરોમાં રહેવા લાગ્યા. સમય જતાં તેમની સંખ્યા વધી. તેમની દલીલ છે કે વર્તમાન સમયમાં સાધુઓએ મંદિરમાં રહેવુ જોઈએ. હરિભદ્રસૂરિએ આ રિવાજની ટીકા કરી છે અને તેમના અત્તર, પુષ્પ અને ફળના ઉપયોગ સામે તેમ જ બેત્રણ વખત ખાવા સામે, તેલ ચાળીને સ્નાન કરવા સામે, બાળકોને શિષ્ય બનાવવા માટે ખરીદવા સામે, મંત્ર અને તેના અનુષ્ઠાન સામે, ધર્મગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણેનું આચરણ કરતા સાધુઓ પાસે લાકોને જતા અટકાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. જિનવલ્લભ, જિનદત્ત અને પછીના બીજા સાધુઓએ પણ આવા સાધુઓની ટીકા કરી છે. લગભગ ઈ. સ. ૭૪૫માં કે તેની આજુબાજુ અણહિલપુરના ચાવડા રાજાએ શીલગુણસૂરિના કહેવાથી ચૈત્યવાસી સિવાયના સાધુઓના નગરપ્રવેશ અટકાવતા હુકમ કાઢયો. સને ૧૦૧૩માં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિએ રાજા દુર્લભદેવના દરબારમાં જુદા જુદા પંથના ધર્મગ્રંથો વિષેની ચર્ચામાં આ પંથના સાધુઓનો પરાજય કર્યા ત્યારે આ હુકમ બદલાયા. તે પછી ચૈત્યવાસીઓનું બળ ઘટયું. પેાતાને ‘તિ ’ અથવા શ્રીપૂજ્ય ' કહેવડાવતા શ્વેતાંબર આ પંથના છે. પાતાને ‘ સંવેગી ’ કહેવડાવે છે. તેઓ વનમાં વસતા સાધુઓના અનુયાયી 6 જે સ્થાનક્વાસી અત્યારે ગુજરાત રાજ્યમાં, પહેલાંના શિરોહી રાજ્યના અરહતનાડા નામના ગામમાં ઈ. સ. ૧૪૧૫માં જન્મેલા લાંકાશાહે આ સંપ્રદાય સ્થાપ્યા હતા. તે સવાળ કુટુંબમાં જન્મ્યા હતા. પચ્ચીસ વર્ષની ઉંમરે તેઓ અમદાવાદ ગયા. ત્યાં મેાહમ્મદશાહનું શાસન હતું. હીરાના વેપારના સોદામાં સુલતાનને લાંકાશાહના પરિચય થયો. લાંકાશાહની કુશળતાથી શાહ બહુ પ્રસન્ન થયા અને જે તિજોરીમાં પોતાનાં બધાં ઘરેણાં રાખતા તેના રક્ષક તરીકે શાહે તેમને નીમ્યા. ઝેરથી Jain Education International છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy