SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ હતા; ઈ. સ.ની પહેલી સદીમાં તેમને પોતાની ભિન્ન માન્યતાઓનો ખ્યાલ આવ્યો. પણ આ ભેદ થોડો હતો અને ધાર્મિક પરિગ્રહને લગતે હતો.” જે. એલ. જેની પણ આવો જ મત ધરાવે છે. “શ્વેતાંબર – શ્વેતવસ્ત્ર ધારણ કરનાર અને દિગંબર – દિશારૂપી વસ્ત્ર ધારણ કરનારા એટલે કે નગ્ન એવા બે સંપ્રદાયોમાં જૈન ધર્મનું વિભાજન, તેમની બંનેની સાક્ષી પ્રમાણે, મહાવીર પછી ૬૦૯ વર્ષે, એટલે કે ઈ. સ. ૮૦માં થયું પણ વિભાજનનાં બીજ પહેલી પરિષદમાં નંખાયાં હતાં.” એ. એલ. બશામાં પોતાનો મત આ રીતે રજુ કરે છે: “સ્થળાંતરને પરિણામે, સાધુઓના આચાર અંગે જૈન ધર્મમાં બે મોટા વિભાગો પડી ગયા. સ્થળાંતર કરી જનારા જૈનના અગ્રણી, સંઘના વડા ભદ્રબાહુએ, મહાવીરે આપેલો નગ્નતાને નિયમ ચાલુ રાખવા અનુરોધ કર્યો. ઉત્તરમાં જ રહેલા સાધુઓના અગ્રણી સ્થૂલભદ્ર દુષ્કાળની વિટંબણાઓ અને મુશ્કેલીઓને કારણે પોતાના અનુયાયીઓને શ્વેત વસ્ત્ર પહેરવાની છુટ આપી. આને કારણે જૈનેના શ્વેતાંબર અને દિગંબર એવા બે ભાગ પડ્યા. ઈસવી સનના પહેલા સૈકામાં આ વિભાગો કાયમી બન્યા.” શ્રીમતી સ્ટીવન્સન પણ કહે છે કે ઈ. સ. ૭૯ અથવા ૮૨માં આ વિભાગો કાયમી થયા. બંને સંપ્રદાયોમાં મૂળ કોઈ ભેદ ન હોવા છતાં આજ સુધી આ વિભાગો ચાલુ છે. બંને સંપ્રદાયોના ગૌણ ભેદો આ પ્રમાણે છે: (૧) શ્વેતાંબર સાધુઓ શ્વેત વસ્ત્રો પહેરે છે. તેમની પ્રતિમાઓ સુવર્ણ અને હીરાના અલંકારોથી અલંકૃત હોય છે. આ પ્રતિમાની આંખો કાચની હોય છે. પ્રતિમા રેશમી વસ્ત્રો ધારણ કરતી હોય છે. આદર્શ દિગંબર સાધુઓ અને તેમના તીર્થકરોની પ્રતિમાઓ નગ્ન હોય છે. (૨) દિગંબરો માને છે કે શારીરિક સ્થિતિ અને સામાજિક દરજ્જો ઉતરતી કક્ષાનો હોવાથી સ્ત્રીઓ મેક્ષ મેળવી ન શકે. શ્વેતાંબરો આથી વિરૂદ્ધ મત ધરાવે છે. (૩) આગળ નોંધાયું છે તે પ્રમાણે દિગંબરોની માન્યતા અનુસાર મહાવીર અપરિણીત હતા. છે તાંબર માને છે કે તેઓ પરિણીત હતા અને તેમને એક પુત્રી હતી. (૪) શ્વ તાંબરો દ્વાદશાંગે અને બીજા ધર્મગ્રંથનાં પ્રામાણ્ય અને પવિત્રતાને સ્વીકારે છે. દિગંબરો માને છે કે મૂળ અને સાચા ગ્રંથે લાંબા સમયથી લુપ્ત થઈ ગયા છે. (૫) શ્વેતાંબરો માને છે કે સર્વજ્ઞ કે મુકત કેવલીએ આહાર કરતા હતા. દિગંબરે આવું માનતા નથી. (૬) શ્વેતાંબરો માને છે કે સત્તરમાં તીર્થકર મલ્લિનાથ, મહિલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy