SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્વેતાંબર પરંપરા સંઘના વિભાગ માટે બે બયાન રજુ કરે છે. (૧) ભદ્રભાહ નેપાળ ગયા અને ત્યાં ધ્યાનમગ્ન થયા. એમની અનુપસ્થિતિ દરમ્યાન, સ્થૂલભદ્ર બધા અનુયાયીઓની પરિષદ બોલાવી અને દ્વાદશાંગો રજુ કર્યા. દિગંબરોએ એ ધર્મગ્રંથોનું પ્રામાણ્ય ન સ્વીકાર્યું કારણ કે તેઓ માનતા હતા કે મૂળ ધર્મગ્રંથો ઘણા વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા હતા. (૨) શિવભૂતિ નામે સાધુ હતું. દીક્ષા પહેલાં તે એક રાજસેવક હતા. તેણે શ્રમણધર્મ સ્વીકાર્યો ત્યારે રાજાએ તેને કેટલાંક સુંદર વસ્ત્રો ભેગો એક કાંબળો પણ આપ્યો. વસ્ત્રોના પરિગ્રહમાં સંપત્તિ પ્રત્યેની આસક્તિ આવી જતી હોવાથી ગુરુએ આ વસ્ત્રોને ત્યાગ કરવાનું કહ્યું. શિવભદ્દે તેમ કરવાની ના પાડતાં ગુરુ ગુસ્સે થયા, અને તેમણે જાતે વસ્ત્રો ફાડી નાખ્યાં. શિવભૂતિ ગુસ્સે થયા, ગુરુથી છૂટા પડયા અને તેમણે શ્વેતાંબરોને નવો સંપ્રદાય શરૂ કર્યો. - આમાંના એક પણ બયાનને ઐતિહાસિક સમર્થન નથી. મને એવું લાગે છે કે આ વિભાગો ધીમે ધીમે પડ્યા હશે અને પછી કોઈક સમયે તેમણે નિશ્ચિત રૂપ પ્રાપ્ત કર્યું હશે. શ્રુતકેવલી ભદ્રબાહુ દક્ષિણમાં ગયા પછી સ્થૂલભદ્ર અને તેમના શિષ્યો ઉત્તરમાં રહ્યા. ગ્રીક ઇતિહાસકારોએ નગ્ન તત્ત્વવેત્તાઓનો ઉલ્લેખ કર્યો છે તે પરથી એલેકઝાન્ડરે (ઈ. સ. પૂ. ૨૨૭–૨૨૬માં) ભારત પર હુમલો કર્યો ત્યારે ઉત્તરમાં દિગંબરો જ હતા તે વિષે કોઈ સંશય નથી. પાના સમય દરમ્યાન અધોવસ્ત્ર પહેરતા સાધુઓ હશે એવું લાગે છે પણ મહાવીર પોતે જ નગ્ન સંપ્રદાયને વળગી રહ્યા હતા તેથી એમના સમયમાં અધોવસ્ત્ર પહેરવાના રિવાજને બહુ મહત્ત્વ ન મળ્યું. પંડિત બેચરદાસ, જે શ્વેતાંબર જૈન છે તેઓ એવો અભિપ્રાય વ્યકત કરે છે કે જખ્ખસ્વામીના નિર્વાણ પછી જ આચારમાં શિથિલતા આવી હશે. મહાવીરે ઘડેલા કઠોર નિયમોથી છુટા પડવાની વૃત્તિ આવી હશે અને ભાગલાનું વિષવૃક્ષ વધવા લાગ્યું હશે. શરીરના અંગે ઢાંકવા માટે સાધુઓએ વેત વસ્ત્રોનો ઉપયોગ શરૂ કર્યો. વળી તેઓ કેટલાંક લાકડાનાં પાત્રો પણ રાખવા લાગ્યા. તીર્થકરોની પ્રતિમાઓને સુવર્ણનાં તેમજ હીરાજડિત આભૂષણોથી અલંકૃત કરવાની પ્રથા શરૂ થઈ. એસ. ગેપાલન એવું માને છે કે ઈ. સ. ૮૩માં આ વિભાગો કાયમી બની ગયા. હરમાન યાકોબી એવો અભિપ્રાય આપે છે કે અર્ધફલકોને સંપ્રદાય ઈ. સ. ૮૦માં વેતાંબર પંથ તરીકે વિકાસ પામ્યો. તેઓ નોંધે છે : “જૈન ધર્મનું વિભાજન ક્રમશ: થયું. એકબીજાથી ઘણે દૂર રહેલા વિભાગે પિતાપિતાને વિકાસ કર્યો જતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy