SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આ બનાવને ઉલ્લેખ કરે છે. આ આલેખને ' ઈ. સ. ૬૦૦ના પ્રથમ આલેખ પ્રસ્તુત ભાગ અહીં ટાંકયો છે. જ્યારે સહસ્ર તેજસ્વી કિરણાથી પ્રકાશતા, પેાતાના ગુણ વડે સજ્જનરૂપી કમળાને વિકસાવતા, શ્રેષ્ઠ ગુણાના નિવાસરૂપી શ્રેષ્ઠ જીનધર્મસરોવરના પાષક, તેમજ જેમના ઉદય જગતના ઉદ્ધાર કરવા થયો હતો એવા મહાવીરરૂપી સૂર્યના અસ્ત થયો ત્યારે પૂજ્ય સર્વશ્રેષ્ઠ ગણધર મુનિ ગૌતમ, તેમના શિષ્ય લાહાચાર્ય, જમ્મુ, વિષ્ણુદેવ, અપરાજિત, ગેાવર્ધન, ભદ્રબાહુ, વિશાખ, પ્રોષ્ઠિલ, કૃત્તિકાર્ય, જયનામ, સિદ્ધાર્થ, ધૃતિષેણ, બુદ્ધિલ અને બીજા આચાર્યોથી ઉજજવળ બનેલી પરંપરામાં ભદ્રબાહુસ્વામી, જે આઠ પ્રકારનાં શકુનાનાં સ્વરૂપથી પરિચિત હતા, તેમણે ઉજયનીમાં, બાર વર્ષની આપત્તિ આવી પડશે એવું ભવિષ્ય ભાખ્યું ત્યારે સકળ સંઘ ઉત્તરમાંથી દક્ષિણમાં આવ્યો અને ધીરે ધીરે એવા દેશમાં પહોંચ્યો જ્યાં સુખી લાકોથી ભરેલાં હજારો ગામ હતાં.” પરંપરા પ્રમાણે સમ્રાટ ચંદ્રગુપ્તે રાજ્યત્યાગ કર્યો અને શ્રુતકેવલીની સાથે ગયા. ચંદ્રગિરિ ટેકરી પરના બે આલેખા ( નં. ૧૭ અને ૧૮) અને શ્રીરંગપટ્ટમ નજીક મળેલા બીજા બે આલેખા ભદ્રબાહુ અને ચન્દ્રગુપ્ત બંનેને શ્રમણ તરીકે ઓળખાવે છે. ચિદાનંદ કવિએ ઈ. સ. ૧૬૮૦માં રચેલી ‘મુનિવંશાભ્યુદય ’ નામની કન્નડ કૃતિ પણ ભદ્રબાહુ અને ચન્દ્રગુપ્ત સાથે આવ્યા તે વાતને સમર્થન આપે છે. ૩૭ વિદ્રાનાને સંશય છે. આર. << આ બનાવની ઐતિહાસિકતા વિષે ઘણા નરસિંહાચાર્ય ડૉ. લેનમાનને એવું કહેતા ટાંકે છે કે દક્ષિણમાં થયેલું સ્થળાંતર ‘દિગંબર પંથના પ્રારંભ' છે. જૈન ગુરુઓની પદાવલિઓની સમીક્ષા કર્યા પછી ડૉ. હાર્નેલ કહે છે. ભદ્રબાહુ પહેલાં જૈન સમાજ અવિભક્ત હતો. તેમના સમયથી દિગંબરો શ્વેતાંબરોથી જુદા પડયા. અવિભકત જૈન સમાજનું મૂળ સ્થાન બિહાર હતુ. તેમાં કારમે! દુકાળ પડવાથી ભદ્રબાહુએ દક્ષિણમાં સ્થળાંતર કર્યું, અને તેથી દિગંબરો જુદા પડયા.” આર. નરસિંહાચાર્યના અભિપ્રાય એવા છે કે “કામચલાઉ પરિકલ્પના તરીકે, ભવિષ્યનું સંશાધન વિરૂદ્ધ અભિપ્રાય ન આપે ત્યાં સુધી જૈન પરંપરા સ્વીકારી શકાય ”. એસ. આર. શર્મા લખે છે કે “ સ્વ. ડૉ. વી. એ. સ્મિથને ચન્દ્રગુપ્ત મૌર્ય ભદ્રબાહુ (છેલ્લા જૈન શ્રુતકેવલી )ની સાથે ઔંસુર ગયા અને ત્યાં સલ્લેખનાથી મૃત્યુ પામ્યા એવી પરંપરા શકય છે એવા નિર્ણય, ઝાઝી ગરબડ વિના સ્વીકારી લેવા જોઈએ.” નવીન સંશાધનાએ હજી વિરૂદ્ધ પુરાવાઓ રજુ કર્યા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy