SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આ જ વ્રતા સામાન્ય સ્ત્રીપુરુષો માટે અણુવ્રત અથવા નાનાં વ્રત હતાં. મહાવ્રતોમાં વ્રત લેનારે વ્રતાનું પાલન ખૂબ કઠોરતાપૂર્વક અને સૂક્ષ્મ રીતે કરવાનું હતું અને દરેક વ્રતનાં પાલનમાં દરેક પ્રકારે ખૂબ કાળજી અને સાવધાની રાખવાનાં હતાં. સામાન્ય સ્ત્રીપુરુષો માટે તેમણે ૧૧ પ્રતિમાઓ તૈયાર કરી. આમાં આરંભ સમ્યક્ દર્શનથી કરી અંતે ઓછામાં ઓછાં વસ્ત્રો પહેરવાની સ્થિતિએ પહોંચવાનું હતું. વ્રતભંગનુ અનિષ્ટ દૂર કરવા દરેક ભૂલ માટેના સાચા હૃદયને પશ્ચાત્તાપ ખૂબ અસર કરે છે એવું પણ તેમણે ભારપૂર્વક કહ્યું. નવાં કર્મોના પ્રવાહને અટકાવવા માટે તપસ્યા અને વ્રતોનું નિયમિત પાલન અનિવાર્ય છે એવું પણ તેમણે ઉપદેશ્યું. ગણો આ વિષયની સમાપ્તિ કરતાં પહેલાં ગણધરોના ઉલ્લેખ કરવા જોઈએ. સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યા પછી મહાવીરે જે ઉપદેશ આપવા માંડયો હતેા તેનું અર્થઘટન ગણધરોએ કર્યું હતું. સૌ પ્રથમ આ કાર્ય ઇન્દ્રભૂતિ ગૌતમે કર્યું. ગૌતમ વેદવિદ્યામાં પારંગત બ્રાહ્મણ હતા. તત્ત્વવિદ્યાના કેટલાક સિદ્ધાંતોનાં અર્થઘટન વિષે તેમને સંદેહ હતો. ભગવાનની સર્વજ્ઞતા વિષે જાણ્યા પછી છ દ્રવ્યો, પાંચ અસ્તિકાયો અને સાત સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવા તેઓ તેમની પાસે ગયા. જીવ, કર્મના અર્થ અને કર્મને કારણે કેવી રીતે જુદી જુદી જાતના પુનર્જન્મના ઉદ્ભવ થાય છે તે મહાવી૨ે તેમને સમજાવ્યું. આ જ્ઞાન મળ્યા પછી ઇન્દ્રભૂતિએ પેાતાના પાંચસો શિષ્યો સાથે શ્રમણધર્મના અંગીકાર કર્યો. તે પછી ઇન્દ્રભૂતિના બે ભાઈઓ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ મણધર્મ પ્રત્યે આકર્ષાયા અને તેમણે પેાતાના શિષ્યો સાથે આ ધર્મની દીક્ષા લીધી. અગ્નિભૂતિ અને વાયુભૂતિ પણ વેદમાર્ગના પ્રકાંડ પંડિત હતા અને તેમના સંશયા પણ દૂર થયા હતા. આ ત્રણ ભાઈઓ ઉપરાંત બીજા પણ આઠ બ્રાહ્મણ અને ક્ષત્રિય પંડિતાએ મહાવીરના ઉપદેશ પ્રત્યે આકર્ષાઈને પેાતાના શિષ્યો સાથે મહાવીરને ધર્મ અંગીકાર કર્યો હતા. તેમનાં નામ સુધર્મ, મૌર્યપુત્ર, મૌન્દા, પુત્ર, મૈત્રેય, અકંપન, અચેલક અને પ્રભાસ હતાં. આ સૌ ગણધરોમાં ઇન્દ્રભૂતિ ગૌતમ સૌથી વધુ વિચારવંત હતા. વિષયનુ પ્રતિપાદન કરવાની તેમની શક્તિ પણ યુક્તિસંગત હતી તેથી તેઓ પ્રથમ ગણધર થયા. મહાવીરના ઉપદેશનું તેમણે અર્થઘટન કર્યું અને તેને લખીને તૈયાર પણ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy