SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને આશ્રયે આવવા લાગ્યા. છેલ્લા ચાતુર્માસ તેમણે પાવાપુરીમાં ગાળ્યા. ધ્યાનમગ્ન સ્થિતિમાં પ્રભાત પહેલાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમના અઘાતિ કર્મના ક્ષય થયા. ઈ. પૂ. ૫૨૭ના અશ્વિનમાસની અમાસના દિવસે તેઓ નિર્વાણ પામ્યા. જન્મ, જરા અને મૃત્યુના બંધનમાંથી તે મુક્ત થયા. તેઓ પૂર્ણપણે મેાક્ષ મેળવી મુક્ત બન્યા. કાશી, કોસલ અને વૈશાલીના રાજાઓએ આ પ્રસંગ –એકમના દિવસ--ખૂબ દીપક પ્રગટાવીને ઉજવ્યો. તેમણે કહ્યું : ‘ બુદ્ધિના પ્રકાશ ગયા છે. આપણે ભૌતિક અજવાળું કરીએ.' આજ સુધી આ દિવસને ઉત્સવદિન માનવામાં આવે છેઅને આ પર્વ દીપાવલિ પર્વ મનાય છે. ૩૩ મહાવીરે ઉપદેશેલા ધર્મ નવેશ નથી. તેમની પૂર્વે થએલા જિનાએ આ ધર્મના ઉપદેશ કર્યો હતા અને આત્માની મહત્તાના સિદ્ધાંત પ્રચલિત કર્યો હતો. વિશ્વનાં બે મૂળતત્ત્વા છે : જીવ અને અજીવ. પહેલેથી જ તેઓ એકબીજા સાથે સંકળાએલાં છે. મન, વચન અને દેહની પ્રવૃત્તિઓ જીવને કર્મ સાથે સાંકળે છે. તપસ્યા, ધર્મના સિદ્ધાંતાના પાલન અને ધ્યાનથી આ અટકાવી શકાય અને મુક્ત થઈ શકાય. માણસ પોતે જ પોતાનાં ભાવિને સર્જે છે. અનંત શ્રાદ્ધા, જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ એ તેનું ધ્યેય છે. એ ધ્યેય સિદ્ધ કર્યાથી કર્મના બંધનામાંથી મુક્ત થઈ શકાય છે. અહિંસા અને સત્યના ધર્મો આપણા દેશના તેમ જ આ ધર્મનું પાલન કરતા બીજા દેશાના ભાગ્યવિધાયક બન્યા છે. આપણા સ્વાતંત્ર્યસંગ્રામ વખતે આ ધર્મનું પાલન કરીને આપણે પુરવાર કર્યું હતું કે આ ધર્મો નિર્બળના નહીં પરંતુ શુરવીરનાં શસ્રો છે. મહાવીરે આ ઉપદેશા લેાકભાષામાં આપ્યા. આ ઉપદેશાને બાર વિભાગેામાં વહેંચીને મહાવીરના શિષ્યોએ તેમને હ્રાવા (બાર ધર્મગ્રંથો ) એવું નામ આપ્યું છે. મહાવીરના ઉપદેશ ભાવિહોણા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે જીવન અર્થપૂર્ણ છે અને પવિત્ર ધ્યેય રાખીને જીવન જીવવામાં આવે, તો જ તે સફળ થાય. આ સંદેશ પવિત્રતા અને પ્રેમપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપે છે. મહાવીરે બ્રહ્મચર્યને સ્વતંત્ર વ્રત ગણ્યું એટલે વ્રત પાંચ થયાં: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેમણે સંઘ રચ્યા. આ સંઘ સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો (ગૃહસ્થ પુરુષો) અને શ્રાવિકાઓના બનેલા હતા. ઉપલાં પાંચ વ્રતાને સાધુઓ અને સાધ્વીઓ માટે તેમણે મહાવ્રતા (મેટાં ગ્રા) કહ્યાં. જૈ.—૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy