SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જીવનનાં બાર વર્ષે તેમણે તપસ્યા અને ઊંડાં ચિંતનમાં ગાળ્યાં. તેઓ ભિકાગ્રામ (હાલનું બિહાર રાજ્યનું ઝરિયા) ગયા અને જુવાલુકા નદીને કિનારે સાલવૃક્ષ નીચે બેઠા. તેઓ શુકલધ્યાનમાં મગ્ન થયા અને દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મેહનીય અને આના એવા ચાર પ્રકારનાં કર્મોને ક્ષય કર્યો. તેમણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું. વૈશાખ સુદ દશમને દિવસે તેમણે પરમ જ્ઞાન મેળવ્યું. જ્યારે ભગવાન મહાવીર જિન અને અર્વત બન્યા ત્યારે તેઓ કેવલી, સર્વજ્ઞ થયા. જગતની, દેવની, મનુષ્યોની અને દાનવોની બધી અવસ્થાઓને તેમણે જોઈ અને જાણી. આ સર્વને ઉદ્ભવ અને અંત, તે મનુષ્ય, પ્રાણી, દેવ કે નરકવાસી થશે તે, તેમના વિચારો, કર્મો, ઇચ્છા, આહાર, દરેક પ્રાણીનાં ખુલ્લાં કે અપ્રગટ કાર્યો–આ બધું અહંતથી અજાયું ન હતું. તેઓ કોઈ પણ ક્ષણે મનુષ્ય કે બીજું પ્રાણી જે કાંઈ વિચારતાં, બોલતાં કે કરતાં તે બધું જાણતા. ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એવું જાણતાં જ માનવસમુદાય તેમની પૂજા માટે ઉમટ્યો. આ લોકોમાં વેદવિદ્યાનો પ્રકાંડ પંડિત ગૌતમ ઇન્દ્રભૂતિ પણ હતો, રાજગૃહ નજીક વિપુલાચલની ટેકરી ઉપર તેમણે પ્રથમ ઉપદેશ આપ્યો. શ્વેતાંબરોની માન્યતા એવી છે કે પ્રથમ ઉપદેશ પાવાનગર નજીક અપાયો હતો. તેઓએ ત્યાં એક મંદિર પણ બાંધ્યું. પ્રથમ ઉપદેશ સાંભળતાં ઇન્દ્રભૂતિ ગૌતમના બધા સંશયો વિખરાઈ ગયા અને તેમને નવું જ્ઞાન મળ્યું. તેમણે અને તેમના અનુયાયીઓએ જેમાં તેમના ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિને સમાવેશ થયો હતો, દીક્ષા લેવા ઇચ્છયું અને તેમને દીક્ષા મળી. ઇન્દ્રભૂતિ ગણધર પ્રથમ ગણધર બન્યા. મગધના આધ્યાત્મિક ચિતનમાં આ પ્રસંગ ઘણો ક્રાન્તિકારી હતો. મહાવીરે અહિંસા, સત્ય, સંયમ, આત્મજ્ઞાન, આત્મસન્માન મનુષ્યને મુકિત આપે છે એવો ઉપદેશ આપવા માંડ્યો. બાર વર્ષ સુધી અંતર્મુખ બનીને ઉગ્ર તપસ્યા અને મુશ્કેલીઓ વેઠીને તેમણે જેનો સાક્ષાત્કાર કર્યો હતો તેનો તેમણે લોકોને ઉપદેશ કર્યો. જ્ઞાતિ કે ધર્મના બાધ વિના લોકોના ટોળેટોળાં તેમને ઉપદેશ સાંભળવા ઉમટવા લાગ્યાં. જે સભામાં એમણે ઉપદેશ આપ્યો તેને જૈન મત પ્રમાણે સમવસરણ (સમાનતા અને સમત્વનો આશ્રય) કહે છે. વૈશાલી, રાજગૃહ, મિથિલા અને શ્રાવસ્તી જેવાં સ્થળોએ તેમણે ચાતુર્માસ (માસાના ચાર મહિના) ગાળ્યા. આધ્યાત્મિક જ્ઞાનનાં તરસ્યાં હજારો માનવીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy