SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રીકૃષ્ણ માટે પણ આવી જ વાત કહેવાય છે. તેમનાં આવાં બહાદુરીભર્યા કામને લીધે જ તેમનું નામ મહાવીર પડયું એમ કહેવાય છે. આવા શુરવીર અને સર્વગુણસંપન્ન મહાવીર યુવાન બન્યા. તેઓ લગભગ એકવીસ વર્ષના થયા ત્યારે માતાપિતાએ તેમનું લગ્ન કરવાનો વિચાર કર્યો. આ વિષે દિગંબર અને શ્વેતાંબરોમાં મતભેદ છે. દિગંબરો માને છે કે મહાવીરે લગ્નની ના પાડી કારણ કે મહાવીર આધ્યાત્મિકતા તરફ ઢળેલા હતા, તેથી લગ્નને આધ્યાત્મિક ઉન્નતિમાં બાધક માનતા હતા. શ્વેતાંબરો મહાવીરચરિત વર્ણવતાં કહે છે કે કલિગ દેશની રાજપુત્રી યશોદાની સાથે તેમનાં લગ્ન થયાં હતાં. તેમને એક પુત્રી હતી અને તેને જામાલ સાથે પરણાવવામાં આવી હતી. જામાલ કેટલાક સમય સુધી મહાવીરના શિષ્ય હતા પણ પાછળથી જુદા પડ્યા. બંને સંપ્રદાય પ્રમાણે ત્રીસ વર્ષની વયે મહાવીરે સાધુ ધર્મ સ્વીકાર્યો. તે સમયે તેમનાં માતાપિતા મૃત્યુ પામ્યાં હતાં. પોતાની સર્વ સંપત્તિનું દાન કરી એઓ વનમાં ગયા. ત્યાં તેમણે પોતાનાં વસ્ત્રો દૂર કર્યા અને પોતાને હાથે ખેંચીને વાળ પણ દૂર ર્યા. પોતાને ઘણોખરો સમય તેઓ ગુફાઓ, પર્વતશિખરો કે ટેકરીઓ પર તપ કરવામાં ગાળતા. ઘણી વખત ભરવાડો અને બીજી અજ્ઞાની લોકોની તરફથી તેમને અનેક જાતનાં અપમાન અને હાડમારી સહેવાં પડતાં. કહેવાય છે કે એક વખત તે ધ્યાનમગ્ન હતા ત્યારે એક ખેડૂત પિતાનાં ઢોર તેમને ભળાવીને જમવા માટે ગામમાં ગયો. પાછાં ફરતાં તેણે ઢોર ન જોયાં. ઢોર ગુમ થવા માટે તેણે ભગવાનને જ જવાબદાર ગણ્યા. ખેડૂતે ભગવાનને માર્યા પણ તે અવિચળ અને હસતા જ રહ્યા. આ જોઈ તેને પોતાની મુર્ખાઈનું ભાન થયું અને તેણે ક્ષમા માગી. દિવસ સુધી ધ્યાનમગ્ન રહેવાને કારણે તેઓ ઉપવાસ કરતા. મન અને વાણી પર તેમને પૂર અંકુશ હતો. જીવને શરીરથી મુકત બનાવવા માટે તેઓ આત્મશુદ્ધિને અત્યંત જરૂરી માનતા. સામાજિક મોભાને તેઓ મહત્ત્વ ન આપતા અને ઊંચનીચના ભેદને તેઓ ગણતા નહીં. એક વખત તેમણે વૃષભદત્ત નામના ધનિકની દાસી પરંતુ અંતર અને આચારમાં શુદ્ધ એવી ચંદના પાસેથી ભિક્ષા લીધી હતી. કેટલાય ધનિક માણસે તેમને ભિક્ષા આપવા આતુર હતા, ત્યારે તેમણે ચંદના પાસેથી ભિક્ષા લીધી. આમ એમણે જન્મ અને ભાને કારણે ઊભા થયેલા ભેદભાવોને પોતાના આચરણ દ્વારા દૂર કરવાને પ્રયત્ન કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy