SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઈ. પૂ. ૫૯૯ના ચૈત્ર સુદ તેરસને દિવસે મહાવીરના જન્મ થયા હતા. વૈશાલીના જ્ઞાતુ કુળમાં જન્મેલા એમના પિતા સિદ્ધાર્થ કુણ્ડપુરના રાજા હતા. લિચ્છવી વંશના રાજા ચેતકની પુત્રી ત્રિશલા તેની માતા હતી અને તેનું બીજું નામ પ્રિયકર્ણી હતું. બીજી માન્યતા પ્રમાણે તે ચેતકની બહેન હતી. માતાપિતા ભગવાત પાર્શ્વનાથના અનુયાયી હતાં. બાળકનું નામ પહેલાં તે વીર એવું રાખવામાં આવ્યું પણ એના જન્મ પછી રાજ્ય વધારે સમૃદ્ધ થવા લાગ્યું તેથી તેને ‘વર્ધમાન ’પણ કહેવા લાગ્યા. કેટલાક ધર્મગ્રંથામાં તેમને જ્ઞાતપુત્ર કહ્યા છે. બૌદ્ધ સાહિત્યમાં તે ' નાતપુત્ત ’ કહેવાય છે. પરંપરા પ્રમાણે જન્મથી તેમને મતિજ્ઞાન, ઇન્દ્રિયગમ્ય જ્ઞાન ), શ્રુતજ્ઞાન ( પવિત્ર વિદ્યાઓનું જ્ઞાન) અને મન:પર્યાય જ્ઞાન (અતીન્દ્રિય જ્ઞાન ) મળ્યાં હતાં. આમ, જન્મથી જ તેઓ બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિ ધરાવતા હતા. આવી શક્તિ મહાન ધર્મગુરુઓની પરિચાયક હોય છે. તેમને રાજપુત્રને યાગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. તેઓ તેજસ્વી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. એવું કહેવાય છે કે વિજય અને સંજય નામના બે ઋષિએ તેમને વિષે જાણ્યું ત્યારે તેઓ તેમની મહત્તા વિષે સંદેહ કરવા લાગ્યા. તેઓ તેમને મળવા ગયા. પણ જયારે તેમણે તેમને પ્રત્યક્ષ જોયા ત્યારે તેમના બધા સંદેહા દૂર થઈ ગયા. તેથી તેઓ તેમને ‘સન્મતિ ’ કહેતા. રાજકુળમાં જન્મ્યા છતાં સત્તા કે ધનને તેમને મોહ ન હતો. પેાતાના જેટલી મહત્તા, સુષુપ્ત રીતે પ્રત્યેક જીવમાં પડેલી હાય છે એવું તે જાણતા હતા. પ્રાણીમાત્ર પ્રત્યે એમનું વર્તન કરુણા અને પ્રેમથી ભરેલું હતું. ભૌતિક સુખસગવડોનું તેમને આકર્ષણ ન હતું. સંયમ તેમને જીવનમાર્ગ હતા. તેમના સ્વભાવ મધુર હતા અને કોઈના તરફ તેમને કટુતા ન હતી. તેમની આસપાસ ગૂંથાએલી બે વાતો ઘણી પ્રચલિત છે અને તેથી ટૂંકમાં કહીએ તો અસ્થાને નહીં ગણાય. તે મહેલમાં હતા ત્યારે તેમણે લોકોને ભયભીત થઈ આમતેમ દોડતા જોયા. બહાર આવતાં તેમણે જોયું કે રાજાને હાથી ઉન્મત્ત થઈને આમતેમ દોડતા હતા, અને લોકો તેનાથી ડરતા હતા. તે તરત દોડવા, હાથીને સૂંઢથી પકડયો અને ક્ષણમાત્રમાં તેને શાંત પાડી દીધા. તેમના અદ્ભુત સાહસ અને સંયમની નગરજનોએ ખૂબ પ્રશંસા કરી. તેવી જ રીતે એક વખત મિત્રો સાથે બાગમાં ફરતા હતા ત્યારે એક ભયંકર નાગ આવી પહોંચ્યા અને મિત્રો તેને જોઈને ખૂબ ગભરાઈ ગયા. બીજાઓએ ભાગી જવાના પ્રયત્ન કર્યો પણ મહાવીર શાંત ઊભા રહ્યા અને નાગ જ્યારે નજીક આવ્યા ત્યારે તેમણે નાગને પકડયો અને તેની ફેણ ઉપર નૃત્ય કર્યું. આ જોઈ મિત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy