SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ વગેરે સ્થળોએ ગયા. તેમની ઉંમર ૬૦ વર્ષ અને ૯ મહિનાની થઈ ત્યાં સુધી તેમણે ઉપદેશ આપ્યો. પછી તેઓ સમ્મદગિરિ તરફ ગયા અને ધ્યાનમાં મગ્ન થયા. તેઓ જ્યારે ૧૦૦ વર્ષના થયા ત્યારે, ઈ. પૂ. ૯૩૯ વર્ષના શ્રાવણ વદ ૭મે દિવસે તેમણે નિર્વાણ લીધું. આગલા ૧૯ તીર્થકરોએ નિર્વાણ લેવાથી પવિત્ર એવે સમ્મદગિરિ, પાર્શ્વનાથના નામ પરથી પાર્શ્વનાથ ટેકરીને નામે ઓળખાવા લાગ્યા. આજે એ જેને માટેનું સૌથી વધારે પવિત્ર યાત્રાસ્થળ મનાય છે. ડૉ. યાકોબીના જણાવ્યા પ્રમાણે પાનાથ ઐતિહાસિક વ્યક્તિ હતા એ હવે નિર્વિવાદ છે. ઓરિસ્સાના ખંડગિરિ અને ઉદયગિરિની ગુફાઓમાં તેમનાં જીવનનાં દશ્યો કંડારાયેલાં છે. મથુરામાં મળી આવેલો ઈન્ડો–સીધીઅન સમયને આલેખ તેમની પ્રાચીનતા સ્થાપિત કરે છે. ડૉ. ઝીમરે નોંધ્યું છે : “ખભા પરથી બે નાગ ડોકિયાં કરતાં હોય એવી પાર્શ્વનાથની જૈન પ્રતિમાઓ વધારે નોંધવા લાયક છે. આ ઉપરથી એવું ધારી શકાય કે પ્રાચીન મેસોપોટેમિયાની કલા સાથે આપણો કાંઈક સંબંધ હતો. આના ઉપરથી જૈન સંપ્રદાયમાં ભેળવવામાં આવેલાં પ્રતીકોની અત્યંત પ્રાચીનતા પણ સુચવાય છે.” પુરોગામીઓએ ઉપદેશેલા ધર્મ કરતાં પાર્શ્વનાથે ઉપદેશેલ ધર્મ વધુ વ્યાપક હતે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નોંધાયેલી, પાર્શ્વના અનુયાયી કેશી અને વર્ધમાનના અનુયાયી ગૌતમ વચ્ચેની વાતચીત પરથી એવું લાગે છે કે સમ્યમ્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી રત્નત્રય પહેલાથી જ જૈન ધર્મના ભાગરૂપે હતાં. પા ચાર અવતને ઉપદેશ કર્યો. એમની માન્યતા એવી હતી કે અપરિગ્રહમાં બ્રહ્મચર્યનો સમાવેશ થઈ જાય. પાર્વે સાધુઓને એક ઉત્તરીય અને એક અધોવસ્ત્ર એમ બે વસ્ત્રો ધારણ કરવાની છૂટ આપી હતી. ગૌતમ સમજાવે છે કે તીર્થકરે ધર્મના નિયમોના પાલના જે જરૂરી હતું તે નક્કી કર્યું. એમ લાગે છે કે વસ્ત્રના પ્રશ્નને બહુ મહત્વને ગણવામાં આવતો ન હતો કારણ કે અંતરની શુદ્ધિ વધારે મહત્ત્વની હતી. આગલા તીર્થકરોએ સામાયિક અને સંયમનો આદેશ આપ્યો હતો. શ્રમણથી થએલા વ્રતભંગ માટે પ્રતિક્રમણ કરવાનો આદેશ હતે. તે ઉપરાંત પા આધ્યાત્મિક ઉન્નતિ માટે મિથ્યા આચારો અને કર્મકાંડ નિરર્થક છે એવું લોકોને સમજાવી, આત્મસાક્ષાત્કાર માટે પૂર્ણ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની જરૂર પર ભાર મૂક્યો. ભગવાન મહાવીર ચોવીસ તીર્થકરોમાં મહાવીર છેલ્લા છે. તેઓ જૈન ધર્મના સ્થાપક ન હતા તે વાત હવે નિર્વિવાદ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy