SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સૌથી મહત્વનું શિક્ષણ અનાજ ઉગાડવાનું અને વાસણો બનાવવાનું હતું. પ્રે. થર વેન્ડલ એમને માટે સાચું જ કહે છે કે તેઓ “કૃષિ અને સંસ્કારના જનક હતા. આ બંનેની સૌથી મોટી સિદ્ધિ આત્માની ઓળખ છે જે જીવનની પવિત્રતાના અને અહિંસાના આવિષ્કારના મૂળમાં રહેલી છે.” જેનેનાં મહાપુરાણ અને પદ્મપુરાણમાં આપેલી તેમનાં જીવનની વિગતોને ભાગવત અને શિવપુરાણ જેવાં હિન્દુ પુરાણો સમર્થન આપે છે. ક્ષભના શાસનમાં પ્રજા સુખી અને સાર્થક જીવન ગાળતી હતી. એવામાં એક અત્યંત મહત્ત્વની ઘટના બની. એક વખત તેઓ તેમના દરબારમાં બેઠા હતા એવામાં નીલાંજના નામની એક નર્તકીને નૃત્ય કરવા માટે હાજર કરવામાં આવી. સંગીત સાથે તેણે નૃત્ય આરંભ્ય. તેનું લાલિત્યમય નૃત્ય જ્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યારે એકાએક તે ઢગલો થઈને પડી અને મૃત્યુ પામી. આ પ્રસંગ જીવનની અનિશ્ચિતતા અને ક્ષણભંગુરતાની ખાત્રી કરાવવા માટે પૂરતો હતો. તેમણે જગતનો ત્યાગ કરવા નિશ્ચય કર્યો. શ્વભે પોતાના ઉત્તરાધિકારી તરીકે ભારતનો રાજ્યાભિષેક કર્યો. પોતાના રાજ્યને તેમણે બાહુબલિ અને બીજા પુત્રો વચ્ચે વહેંચી દીધું. ભારતના યાદગાર શાસનને કારણે હિંદ ભારતવર્ષ ને નામે વિખ્યાત બન્યું. પિતાની પાસે જે કાંઈ હતું તેને ત્યાગ કરીને તેમણે શ્રમણધર્મ અંગીકાર કર્યો. તેઓ કૈલાસપર્વત ઉપર ગયા અને નગ્ન મુનિ થઈને તપ કરવા લાગ્યા. તેમણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું અને અહિંસા, પ્રેમ અને સત્યના ધર્મને ઉપદેશ આપ્યો. તેમના ૬૪ ગણધરો અથવા પટ્ટશિષ્યોએ તેમના ઉપદેશને અર્થ શ્રેતાઓને સમજાવ્યો. ભરતને નાનો ભાઈ વૃષભસેન તીર્થકરના આધ્યાત્મિક સંદેશને પ્રથમ વાહક બન્યો. લાંબા ઉપવાસ પછી જેમને ત્યાં તેમણે ભેજન સ્વીકાર્યું તે સેમપ્રભ અને શ્રેયાંસ પણ તેમના પટ્ટશિષ્યો બન્યા. તેમની સૌથી મોટી પુત્રી બ્રાહ્મીએ સૌ પ્રથમ શ્રમણધર્મ સ્વીકાર્યો અને તે સાધ્વી બની. તેના પછી તેમની બીજી પુત્રી સુન્દરીએ પણ સાધ્વધર્મને અંગીકાર કર્યો. પરંપરા પ્રમાણે ક્ષભદેવે પોતાની પુત્રીઓને શિક્ષણ આપવા માટે લિપિ શેાધી અને તેથી તે લિપિ બ્રાહ્મી લિપિને નામે ઓળખાય છે. વિષ્ણુપુરાણ અને વાયુપુરાણમાં પણ કહ્યું છે કે ક્ષભદેવે અહિંસાનો ઉપદેશ આપ્યો. આ ઉપરથી પુરવાર થાય છે કે એ તીર્થકર પ્રત્યે હિન્દુઓ પણ સન્માનની ભાવના રાખતા હતા. જિનધર્મ તરીકે જાણીતા બનેલા પોતાના ધર્મનો ઉપદેશ આપ્યા પછી તેઓ હિમાલયના કૈલાસ પર્વત પર ગયા. અને અઘાતિ કર્મોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy