SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ર તીથંકરા અને ભગવાન મહાવીર કાળ અનંત છે. જૈન પરંપરા પ્રમાણે તે દ્રવ્ય છે અને તેના વિભાગ કલ્પ અથવા ચક્રો કહેવાય છે. પ્રત્યેક ચક્રના બે ભાગ હોય છે : અવપણી અને ઉત્સર્પિણી. અવસર્પિણીમાં સુખ અને શુભ સ્થિતિ ઘટતાં જાય છે જયારે ઉત્સર્પિણીમાં પવિત્રતા, સત્ય અને શુભ સ્થિતિ ક્રમે ક્રમે વધતાં જાય છે. પ્રત્યેક સૂંપણીના છ યુગા હાય છે, તેમની મુદત અસમાન હોય છે, અને દરેકનાં પાતાનાં વિશિષ્ટ લક્ષણા હોય છેઃ (૧) સુષમાસુષમા અથવા શુભતમ યુગ. (૨) સુષમા અથવા શુભ યુગ. (૩) સુષમાદુ:ષમાં અથવા શુભ અને થેડા અશુભના યુગ. (૪) દુ:ષમાસુષમા અથવા અશુભ અને થોડા શુભના યુગ. (૫) દુ:ષમાં અથવા દુ:ખના યુગ. (૬) દુ:ષમાદુ:ષમા અથવા અશુભતમ યુગ. ઉત્સર્પિણીના યુગોના આવાં જ નામ છે પણ તેમના ક્રમ ઊલટો હોય છે તેથી તેના આરંભ દુ:ષમાદુ:ષમાથી થાય છે. આમ અવસર્પિણીના પ્રથમ ત્રણ અને ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ સુખના યુગ હોય છે. સંસ્કૃતિની પ્રારંભિક અવસ્થામાં મનુષ્યને કળાનું જ્ઞાન ન હતું તેમ કૃષિ જેવા વ્યવસાયોનું પણ જ્ઞાન ન હતું. આહાર માટે તે ફળ અને કંદમૂળ ઉપર આધાર રાખતો હતો અને વસ્ત્રો માટે વૃક્ષાનાં પાન અને છાલ ઉપર. મનુષ્યની ઇચ્છા કે જરુરિયાતો પૂરી પાડતાં હોવાથી વૃક્ષેા કલ્પવૃક્ષ કહેવાતાં. આધુનિક સંશાધનાએ પ્રગટ કર્યું છે કે કૃષિ કે તેના ઉપકરણા શોધાયાં ત્યાં સુધી મનુષ્ય વૃક્ષાનાં ફળ અને મૂળ ઉપર આધાર રાખતો હતો, પરંપરા આ સંશાધના સાથે સુસંગત છે. વિકાસ હંમેશાં ક્રમે ક્રમે થાય છે. આ સમય દરમ્યાન એક પછી એક ચૌદ કુલકરો અથવા મનુનો આવિર્ભાવ થયો. નવાં કલાકારીગીરીની શેાધથી તેમ જ જીવન જીવવાની કળામાં વ્યવસ્થા અને નવા સુધારા દાખલ કરીને આ ચતુર પુરુષોએ જગતમાં પ્રગતિકારક પરિવર્તન આણ્યાં. પ્રતિક્રુતિ, સન્મતિ, ક્ષેમંકર, ક્ષેમભ, સીમંકર, સીમંધર, વિમલવાહન, ચક્ષુમાન, યશસ્વાન, અભિચંદ્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy