SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ખારવેલના આલેખમાં ઋષભદેવની મૂર્તિને નિદે શ છે. તે પરથી પુરવાર થાય છે કે મહાવીરના સમયમાં કે તેની પહેલાં ક્ષભદેવની પૂજા થતી હતી. આ ઐતિહાસિક વિગતે, ઋષભ જૈનોના તીર્થ કર હોવાની વાતને સમર્થન આપે છે. પરદેશી વિદ્વાને જૈન ધર્મની પ્રાચીનતા વિષે ઉપર જે કાંઈ કહેવાયું તેને ઘણા પરદેશના અને ભારતના વિદ્વાને સમર્થન આપે છે. જૈન ધર્મની પ્રાચીનતા વિષે ડૉ. હરમાન યાકોબીના લેખમાંથી મેં પહેલાં ટાંચણો આપ્યાં છે. તેઓ લખે છે : “લોકોના સારા એવા વર્ગે નોંધેલી પરંપરાને ખોટી ગણી નકારવા માટે કોઈ તર્કસંગત ભૂમિકા નથી. જૈન ધર્મની પ્રાચીનતા સાથે સંકળાએલા બધા પ્રસંગે અને હકીકત એટલી બધી વખત અને એટલી વાસ્તવિક રીતે નોંધાયાં છે કે તેમને નકારવાં શક્ય ન ગણાય. સિવાય કે જૈન ધર્મની પ્રાચીનતામાં સંદેહ ઉઠાવનારા વિદ્વાને બળવત્તર પુરાવાઓ રજુ કરે.” ડૉ. ફયુરર અને પ્રૉ. એલ. ડી. બાર્નેટ એવું સ્વીકારે છે કે રરમાં તીર્થકર ભગવાન નેમિનાથ ઐતિહાસિક વ્યક્તિ હતા. હિંદુ પુરાણોની પ્રાચીનતાનો ઉલ્લેખ કરી એ. એ. મેકડોનાલ્ડ કહે છે કે જૈન ધર્મની પ્રાચીનતા બ્રાહ્મણ ધર્મના ઉભવકાળ કરતાં પણ વધુ પાછળ જાય છે. મેજર જન. જે. જી. આર. ફાઁગ પણ આવા જ નિર્ણય પર આવે છે. “ભારતના ઉપરના સમગ્ર ભાગમાં પ્રાચીન અને અત્યંત સુવ્યવસ્થિત, દાર્શનિક, નીતિમય અને પ્રખર સાધુત્વનાં લક્ષણો ધરાવતે એક ધર્મ–જૈન ધર્મ–અસ્તિત્વમાં આવ્યો. આ ધર્મમાંથી બ્રાહ્મણ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ સાધુત્વનાં લક્ષણો આવ્યાં. આ ગંગા કે સરસ્વતી સુધી પહોંચે તેથી બહુ પહેલાં જૈનોને બાવીસ વિખ્યાત સંતે અથવા તીર્થકરોનો ઉપદેશ મળી ગયો હતો. ઈ. પૂ. ૮મા કે ૯મા સૈકામાં થઈ ગએલા ૨૩મા તીર્થંકર પાર્શ્વના પહેલાં આમ થયું હતું.” ભારતીય વિદ્વાને ભારતીય વિદ્વાનોના અભિપ્રાયો આ નિર્ણયને સમર્થન આપે છે. આ વિષે ડૉ. એસ. રાધાકૃષ્ણનનો મત મેં પહેલાં આપ્યો છે. પ્રો. ચક્રવર્તી લખે છે : “વૈદિક સાહિત્યના વિવિધ વિકાસક્રમોનો નિષ્પક્ષપાત અભ્યાસ દર્શાવશે કે બે સમાંતર વિચારધારાઓ હતી અને તેમની વચ્ચે ઘર્ષણ થયા કરતું હતું. એક અહિંસાના નિયમ માટે દઢ આગ્રહ રાખતી હતી અને બીજી યજ્ઞના અનુષ્ઠાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy