SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ માટે આગ્રહ સેવતી હતી. ક્ષભે ઉપદેશેલા અહિંસાને સિદ્ધાંત ઘણુંખરું આર્યોના ભારતમાં આગમન પૂર્વેને હતો અને તે સમયમાં તે જ પ્રચલિત હતે.” જૈન ધર્મના ઇતિહાસ વિષે લખતાં પ્રૉ. હીરાલાલ લગભગ આવો જ મત પ્રદર્શિત કરે છે. “જેનો પિતાના ધર્મ માટે પ્રાચીનતાને દાવો કરે છે. તેમના સર્વપ્રથમ ઉપદેશક શ્લભદેવ હતા અને વિષ્ણુપુરાણ તેમજ ભાગવતપુરાણમાં તેઓ અત્યંત પ્રાચીનકાળમાં થઈ ગયાના ઉલ્લેખો મળે છે. પ્રાચીન બ્રાહ્મણ સાહિત્યમાં વેદોનાં પ્રામાણ્ય તેમજ પશુયજ્ઞની પ્રથાને પ્રખર વિરોધ કરતા એક ધર્મના ઉલ્લેખો મળે છે. જૈન પરંપરા પ્રમાણે મહાભારતના યુદ્ધ વખતે જૈન ધર્મના અગ્રણી નેમિનાથ હતા. તેઓ કૃષ્ણની જેમ યાદવકુળના હોવાનું મનાય છે અને તેમને બાવીસમાં તીર્થકર માનવામાં આવ્યા છે. વારાણસીમાં જન્મેલા તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના સમયમાં એટલે કે ઈ. પૂ. આઠમા સૈકામાં આ ધર્મ સવિશેષ દૃઢ બન્યો.” જૈન ધર્મ તેમજ પ્રાકૃત સાહિત્યના પ્રખર વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્ધ ઉપરના નિર્ણયને ટેકો આપે છે: “વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં, ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર વગેરે તીર્થક જગતના સૌથી મોટા રહસ્યવાદીઓ છે. ભાગવતમાં આપેલી ક્ષભદેવ વિષેની માહિતી જૈન પરંપરામાં નોંધાએલી વિગતો સાથે મુખ્યત્વે મળતી આવે છે તે નોંધવું રસપ્રદ થઈ પડશે.” બીજા ભારતીય વિદ્વાન પણ જૈન ધર્મની પ્રાચીનતાને માને છે. ડૉ. વિદ્યાભૂષણને અભિપ્રાય એવો છે કે “જૈન ધર્મના મૂળ સૃષ્ટિના પ્રારંભ સુધી જાય છે. જૈન તત્ત્વજ્ઞાન, વેદાંત અને બીજાં દર્શન કરતાં વધારે પ્રાચીન છે એવું વિધાન કરતાં હું અચકાતો નથી.” જ્યોતિ પ્રસાદ ડૉ. એન. એન. બસુને મત ટાંકે છે: “ઘણુંખરૂં લખવાની કળા પહેલવહેલી ક્ષભદેવે શોધી. બ્રહ્મવિદ્યાને ફેલાવવા માટે તેમણે બ્રાહ્મી લિપિ શોધી હોય એવું લાગે છે અને તેથી જ તેઓ આઠમા અવતાર તરીકે જાણીતા થયા. રાજા નાભિરાજની રાણી મરુદેવીને પેટે તેઓ જન્મ્યા હતા. અને ભાગવતમાં ૨૨ અવતારમાંથી તેમને આઠમા અવતાર માનવામાં આવ્યા છે. સર્વોદય નેતા વિનોબા ભાવેને અભિપ્રાય છે: “મહાવીર સ્વામી ૨૪મા તીર્થકર મનાયા છે. તેમની પૂર્વે હજારો વર્ષ પહેલાં જૈન ધર્મને ઉદ્ભવ થયો હશે ક્વેદમાં ભગવાનની પ્રાર્થનામાં એક ઠેકાણે કહ્યું છે : “મન રૂદ્ર વિરવું .” “હે અર્ધન, તમે આ જગત પર કરુણા દર્શાવો છો.” આમાં “અઢું” અને “રા' બે શબ્દો જેનેને પ્રિય છે. જૈન ધર્મ હિંદુ ધર્મ જેટલો જ પ્રાચીન હોઈ શકે તે વિષે હું સંમત થાઉં છું.” પ્રૉ. જી. સત્યનારાયણ મૂર્તિને મત વધુ સ્પષ્ટ છે: “જૈનધર્મ પ્રાચીન ચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy