SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ક્ષત્રિય રાજાઓને ઉપદેશ સાંભળવા બ્રાહ્મણ. પણ આવતા. જૈન ધર્મના ઉદ્ગમની પ્રાચીનતા વિશેના ઉલ્લેખ પ્રાચીન ભારતીય સાહિત્યમાં પણ મળે છે. એવો ઉલ્લેખ પણ મળે છે કે વાલે એટલે કે અનાર્ય ક્ષત્રિયો અને સાધુઓએ વેદથી ભિન્ન શિક્ષણ સ્થાપવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો.” વેદોમાં આત્મવિદ્યાના કોઈ ઉલ્લેખ નથી પણ પાછળથી અસ્તિત્વમાં આવેલાં ઉપનિષદોએ બ્રહ્મવિદ્યા અથવા આત્મવિદ્યાનું પ્રતિપાદન કર્યું તે યાદ રાખવું જોઈએ. આલેખો ઇતિહાસમાં સિદ્ધ થએલું છે કે પ્રાચીન બિહાર અને તેની આસપાસના પ્રદેશના ઘણા રાજ્યકર્તાઓ જૈન ધર્મના આશ્રયદાતાઓ અથવા અનુયાયી હતા. લિચ્છવીઓને રાજા ચેટક જૈન હતા અને તેણે પોતાની બહેનનાં લગ્ન સિદ્ધાર્થ સાથે કર્યા. આ લગ્નથી થયેલું સંતાન તે મહાવીર. નંદવંશના કેટલાક સભ્યો જૈન હતા. ચંદ્રગુપ્ત મૌર્ય પણ જૈન હતા અને તે ભદ્રબાહુની સાથે દક્ષિણમાં ગયો હતો. પાર્શ્વના સમયથી કલિંગ પ્રદેશમાં જૈનોની વસતી હતી. તેથી આ ભાગમાં જૈન ધર્મના કોઈક અવશેષો હોય તે તે ઘણું સ્વાભાવિક છે. મથુરા નજીકનાં ઉખનને જૈન મૂતિકલાના મહત્ત્વના પુરાવા આપે છે. ૧૮ માં તીર્થંકર પાસે સંવત્ ૭૮ ને આલેખ છે. શ્રી દીવાકર, રાવબહાદુર ગૌરીશંકર હરિશંકર ઝાએ ઉકેલેલા આલેખનો ઉલ્લેખ કરે છે. અજમેરની નજીકના બદલી ગામ પાસેથી તે મળી આવ્યો હતો. તે ૮૪ વીર નિર્વાણનો સમય એટલે કે ઈ. પૂ. ૪૪૩ના સમયને તેમજ રાજસ્થાનમાં જૈન ધર્મ પ્રવર્તતા હોવાનો ઉલ્લેખ કરે છે. ફયુરરે શોધેલ ઈ. સ. ૧૦૦નો આલેખ ઋષભદેવની પૂજા માટે અપાયેલાં ભૂમિનાં દાનનો ઉલ્લેખ કરે છે. ડૅ. હીરાલાલ મથુરા નજીક મળી આવેલા સ્તૂપ પરના આલેખનો ઉલ્લેખ કરે છે. એમાં જણાવ્યા પ્રમાણે અરિહંતની પૂજા માટે ફાગુયસ નામના નૃત્યકારની પૂજા માટે આયાગપટ તૈયાર કરાવ્યો હતો. અક્ષરોનાં સ્વરૂપ ઉપરથી વિન્સેન્ટ સ્મિથ આ આલેખને ઈ. પૂ. ૧૫૦ના સમયમાં લખાયો હોવાનું માને છે. શ્રી દીવાકર અપભ્રંશમાં લખાએલા, ઉદયગિરિની ટેકરીઓ ઉપરના હાથીગુફા આલેખનો ઉલ્લેખ કરે છે અને માને છે કે આ આલેખ જૈનધર્મની પ્રાચીનતા વિષે મહત્ત્વની માહિતી આપે છે. આ આલેખના પ્રારંભમાં પરંપરાગત જૈન પદ્ધતિ પ્રમાણે અરહંત અને સિદ્ધોની સ્તુતિ કરવામાં આવી છે. વળી તે દર્શાવે છે કે કલિંગનો રાજા ખારવેલ જૈન હત અને ખંડગિરિ ટેકરીઓ ઉપર તેણે ઘણી ગુફાઓ કરાવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy