SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાતત્વવિદોએ શોધેલી મુદ્રામાંથી કેટલીક પર સ્વસ્તિકનાં ચિહ્ન છે. આનો ઉલ્લેખ કરતાં શ્રીમતી ગુસેવા નોંધે છે : “જૈન ધર્મનાં પ્રતીકોમાં પણ આવાં ચિહને છે. સાતમા તીર્થંકર સુપાર્શ્વનું ચિહન સ્વસ્તિક છે. (જેને માને છે કે મહાવીર પહેલાં ત્રેવીસ તીર્થંકર થઈ ગયા.) મધ્ય ભાગમાં ૧૮માં તીર્થકરનું ચિહન છે. જેને હસ્તપ્રતમાં અને જૈન મંદિરોનાં અલંકરણમાં આ ચિલ્ડ્રન હમેશાં અંકિત કરવામાં આવ્યું હોય છે.” ઉલ્બનનો પરથી જાણવા મળે છે કે આર્યોના હુમલાઓ પહેલાં સુંદર અને સુવ્યવસ્થિત નગરરચના હતી. સંશોધકે સર્વાનુમતે સ્વીકારે છે કે આ નગર જેમણે રચ્યો હશે તે પ્રજાની સંસ્કૃતિ અને પરંપરા ઈ. પૂ. ૪૦૦૦ની આસપાસનાં વર્ષોની છે અને આર્યસંસ્કૃતિ કરતાં આ સંસ્કૃતિ ચઢિયાતી છે. છે. ચક્રવર્તી યુદ્ધ માટેનાં શસ્ત્રોના અભાવ તરફ ખાસ ધ્યાન દોરે છે અને નિર્ણય કરે છે કે સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ, સ્પષ્ટપણે જૈન સંસ્કૃતિના મધ્યબિંદુરૂપ અહિંસાના સિદ્ધાંત પર રચાએલી હતી. બીજા વિદ્વાનોનાં અનુમાન સાથે તેઓ સંમત થાય છે. આ અનુમાન આ પ્રમાણે છે : “મેહજો દરો અને હરપ્પાનાં ઉખ્ખનનમાંથી મળી આવેલી યોગીની અને સાંઢની આકૃતિઓને, ભગવાન શ્લભની સાથે ગાઢ સંબંધ સ્થાપી શકાય. ક્ષભના અહિંસા સંપ્રદાયમાં સિંધુની ખીણમાં વસતા લોકો માનતા હતા. પ્રજાના જે વર્ગોએ આર્યોને વિરોધ કર્યો હતો તેમના ઉપર વિજય મેળવ્યા પછી, આર્યો પંજાબ અને ગંગાના મેદાનના પશ્ચિમ ભાગમાં વસ્યા હતા. ત્યાંના રહેવાસીઓને તેઓ દસ્યુ કહેતા અને તેમને તેમણે એકદમ પૂર્વમાં અને વિંધ્યાચળની બીજી બાજુના પ્રદેશમાં હાંકી કાઢયા. પશુયજ્ઞ દ્વારા જુદા જુદા દેવની પૂજા કરવાની પદ્ધતિ તેમણે દાખલ કરી અને વર્ણવ્યવસ્થા દ્વારા સમાજની રચનામાં પરિવર્તન કર્યું. વર્ણવ્યવસ્થાએ દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. પણ લોકોના સુમેળ અને સંગઠન માટે આ પ્રથા હાનિકારક હતી. અહિંસા સંપ્રદાયના અનુયાયીઓએ પશુયજ્ઞ અને વર્ણવ્યવસ્થા બનેને સર્વથા અસ્વીકાર કર્યો. શ્રીમતી ગુસેવા માને છે કે આ સિદ્ધાંત ઉપરાંત આત્મવિદ્યાનો દાર્શનિક વિચાર ક્ષત્રિયોએ આપ્યું હતું. તેઓ નોંધે છે: “પ્રાચીન ભારતીય સાહિત્યમાં બહોળા પ્રમાણમાં રજુ થએલી પરંપરા પ્રમાણે આત્મવિદ્યાને વિચાર ગંગાની પૂર્વના તટપ્રદેશમાં ફેલાયો હતે (જૈનધર્મ ત્યાં જ ઘડાયો હતો). આ પ્રદેશના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy