SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પ્રત્યેક બાદર અણુ એક પ્રદેશ રોકે છે. સૂક્ષ્મ આણુએ એક સાથે એક પ્રદેશમાં અનંત સંખ્યામાં હોઈ શકે. બાદર અણુઓનાં સંયોજનથી જીવ, આકાશ, ધર્મ અને અધર્મ સિવાયની વિશ્વની બધી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. જૈન વિચારકો અત્યંત નવીન સિદ્ધાંત જાણતા હતા, તે બતાવવા જ મેં અણુસિદ્ધાંતના ઉલ્લેખ કર્યો. પણ તેમણે આ સિદ્ધાંતનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કર્યા હોય એવું લાગતું નથી કારણ કે માનવની જરૂરિયાતો તે સમયે ઘણી ઓછી હતી અને હિંસાના સ્પર્શમાત્ર પણ તેમને સ્વીકાર્ય ન હતા. જૈન દર્શન રચનાત્મક હતું તેથી આશુના વિનાશક સ્વભાવને વિચાર સરખા પણ અક્ષમ્ય હતા. સામાજિક સમાનતાના પ્રશ્ન તરફ આવીએ. જન્મ પર આધાર રાખતા જ્ઞાતિ, સંપ્રદાય વગેરેના ભેદભાવથી ભરેલા સમાજને જૈન ધર્મે એક જ સંદેશા આપવાના છે. આધુનિક સંસ્કૃતિના ફાયદા વિશ્વવ્યાપી હોવા છતાં જાતિ, વર્ણ કે રાષ્ટ્રીયતાને કારણે ઉદ્ભવેલા પૂર્વગ્રહો ચાલુ છે. પ્રજામાં વર્ગો પડી ગયા છે. જાતિને કારણે ઉદ્ધતાઈ કે શ્રેષ્ઠ કુળમાં જન્મનું મહત્ત્વ ઘટતું જાય છે. ઉત્તરાચયનસૂત્રના આઠમા અને નવમા પ્રકરણમાં કહેવાયું છે કે ઉચ્ચતા કે નીચતાના આધાર જન્મ પર નથી પરંતુ કાર્ય, ભલાઈ કે દુષ્ટતાના પ્રકાર ઉપર છે. માનવજાત એક છે અને પોતપોતાના શુભ કે અશુભ કાર્યોથી સ્રીપુરુષોએ ભેદભાવ ઊભા કર્યા છે. પોતાના જીવનકાળ દરમ્યાન મહાવીરે મનુષ્યોને ચાર વર્ગમાં વહેંચી દીધા હતા. મુનિ, અજિંકા, શ્રાવકો, શ્રાવિકાઓ : સૌને તેમણે એક જ ધર્મ ઉપદેશ્યો અને સ્ત્રી પણ ધર્મજ્ઞાન પ્રાપ્ત કરી પૂર્ણત્વ મેળવી શકે છે એવું માન્ય રાખ્યું. એક મુદ્દા નોંધવા જોઈએ. પોતાની શારીરિક અપૂર્ણતાને કારણે સ્ત્રીઓ મેાક્ષ મેળવવા શક્તિમાન થતી નથી એવું દિગંબર પરંપરા માને છે જ્યારે શ્વેતાંબર પરંપરા માને છે કે તે પણ મેાક્ષ મેળવી શકે. મહાવીરના પાતાના જીવનમાંથી સામાજિક સમાનતાનાં ઉદાહરણા મળી રહે છે. મહાવીર એક વખત ભિક્ષા માગવા માટે એક ગામમાં ગયા. તેમને ભિક્ષા આપવા માટે આતુર થઈને દરેક કક્ષાનું સામાજિક સ્થાન ધરાવતા લોકો પેાતાને બારણે ઊભા રહ્યા. તેમણે એક દાસની બાળા પાસે ભિક્ષા લીધી. તેને જુદી રાખવામાં આવતી હતી અને ધાતુનાં વાસણાને સ્પર્શ કરવાની તેને પરવાનગી ન હતી. ચન્દના દાસીએ થોડા ભાત આપ્યા તે લઈ મહાવીર એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy