SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ws સ્થળેથી ચાલ્યા ગયા. આ છોકરી પવિત્ર ભકત હતી. આનાથી કોનું અંતકરણ જાગૃત થયું. દાસીને માલિક પગે પડ્યો અને તેને છુટી કરી. આ વાત પ્રસિદ્ધ વિદ્વાનોએ સ્વીકારી છે. સિન્કલેર સ્ટીવન્સન જૈન ધર્મ શૂન્ય હદય ધરાવે છે એવું કહીને તેને દોષ જુએ છે છતાં સ્વીકારે છે કે જૈન ધર્મની એકમાત્ર ભવ્યતા એ છે કે હિંદના ઘણા ધર્મોથી ભિન્ન પડીને જૈન ધર્મ માને છે કે પરધર્મીઓ અને પરદેશીઓ પણ ધ્યેયપ્રાપ્તિ કરી શકે છે. જૈન ધર્મ વિશે જેમણે સાંભળ્યું પણ ન હોય એવા યુરોપ-અમેરિકાના લોકો, ભલે અજાણપણે પણ ચારિત્રના પાંચ નિયમો પાળે, પિતાનાં કર્મને ક્ષય કરે, તે ધનુષ્યમાંથી બાણ છુટે તેમ મોક્ષમાર્ગે જાય છે. આર. વિલિયમ્સ આ જ મતનું સમર્થન કરે છે. તેઓ કહે છે: જૈન ધર્મ તીર્થ છે – જીવનમાં પ્રગતિ સાધવાની એક રીત છે. યતિના આચાર વ્યક્તિને પિતાનાં મોક્ષની ગોઠવણ જાતે કરવાનું કહે છે તો શ્રાવકાચારને ઉદ્દેશ એ છે કે એવી પરિસ્થિતિ સર્જી શકાય જેમાં રહીને વ્યકિત મોક્ષમાર્ગે પ્રયાણ કરી શકે. તેથી આ ધર્મ જાતિ અને વ્યકિત બંને સાથે સંકળાયેલ છેબાહ્ય રીતે આ ધર્મ ન પાળતાં પણ સમાન માન્યતા ધરાવતાં મનુષ્યોને જૈન ધર્મ આવકારે છે. ઉદાહરણના બળ પર તે ભાર મૂકે છે. આ પરથી સ્પષ્ટ થશે કે સામાજિક કક્ષાએ જન્મને આધારે જૈન ધર્મ ભેદભાવ પાડતો નથી, પણ પ્રત્યેકને પોતાની પસંદગી પ્રમાણે સિદ્ધાંતનું પાલન કરવાની પૂર્ણ સ્વતંત્રતા અને છુટ આપે છે. વ્યક્તિ અને તેનાં કર્મફળ વચ્ચે કઈ આવતું નથી. લોકો પાસે અપરિગ્રહનું વ્રત લેવડાવીને જૈન ધર્મ આર્થિક અસમાનતા દૂર કરવા માંગે છે. સત્યનું વ્રત કષાય કે ધિક્કારથી ઉચ્ચારાએલાં અસત્યનો પરિહાર કરવાનું કહે છે. બીજા નિર્દોષ જીવને હાનિ થતી હોય તે સત્યભાષણ ન કરવાનું પણ જૈન ધર્મ કહે છે. વાણી પાછળનો ઉદ્દેશ મહત્ત્વનું છે તેથી દોષ અને પાપની વિરૂદ્ધ કઠોર શબ્દો ઉચ્ચારતા ઉપદેશક પરિહાર્ય વાણી ઉચ્ચારનારના વર્ગમાં નહીં આવે કારણ કે તેમને ઉદ્દેશ પ્રામાણિક અને બીજાને સુધારવાને છે. કષાયથી પ્રવૃત્ત થઈને ન અપાએલી વસ્તુ લેવી તે ચેરી છે. ચેરી કરનાર મનુષ્ય પિતાના જીવની શુદ્ધિને જ દૂષિત નથી કરતા પણ બીજાને પણ તેની વસ્તુ કે મિલકત ચોરીને દુઃખ આપે છે. અપરિગ્રહનાં પાલનમાં સત્ય અને પ્રામાણિકતા તે જોઇએ જ. આસક્તિ પોતે જ પરિગ્રહ છે. માનસિક અનાસક્તિ વગર ખરૂં અપરિગ્રહવ્રત લઇ ન શકાશે. સજીવ કે નિર્જીવ પદાર્થોના પરિગ્રહની આસકિતથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy