SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨૧ સ્થિતિ આ સાત પ્રકારની સ્થિતિમાં આવી જાય છે. કોઈ વિધાન ઘટાડવાની કે ઉમેરવાની રીત અશક્ય માલૂમ પડશે કારણ કે ઉમેરો કરતાં વિધાન આ સાતમાંથી ગમે તે એક સ્થળે હતું જ એવું અનુભવાશે જ્યારે ઘટાડો મહત્ત્વની સીમાને વિકૃત કરશે, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે સ્થળ અને સમયને જોડવાના પ્રયત્ન કર્યો છે અને દળને વેગ પર આધાર રાખતો કલ્પ્યો છે. આઇન્સ્ટાઇનના સિદ્ધાંત સુચવે છે કે સમય અને સ્થળ જુદા જુદા નિરીક્ષકોને મતે જુદી જુદી વસ્તુ છે. કોઇ પણ એક નિરીક્ષકને માટે તે એકબીજાંથી જુદાં તારવવાં સહેલ છે. તેની સત્યતા પુરવાર કરવા માટે કોઈ કસાટી નથી. આ સિદ્ધાંતને હજી અપૂર્ણ ગણવામાં આવે છે. સાપેક્ષવાદની સરખામણીમાં સ્યાદ્નાદ વધારે સરળ અને ઓછા વ્યાપક છે તેનાં કારણા સાવ દેખીતાં છે. મનુષ્યનાં જ્ઞાનની સીમા વિસ્તરતી જાય છે અને વિજ્ઞાનની સિદ્ધિઓ કેટલાક સૈકા પહેલાં હતી તેથી વધુ સાર્થક બની છે. જે યુગમાં તેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું તેની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં, જીવન અને તેના પ્રશ્નો પ્રત્યેનાં દૃષ્ટિબિંદુમાં, સ્યાદ્વાદ અને સાપેક્ષવાદનું પ્રદાન લગભગ સમાન છે. દેખીતી રીતે વિસંવાદી વિચારોમાં સ્યાદ્રાદ પૂર્ણ સંવાદ સ્થાપિત કરે છે. સત્યને સમજવું અને સત્યનું સંકલન કરવું તે દર્શનશાસ્ત્રનું ક્ષેત્ર છે અને તેમાં સ્યાદ્નાદ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સ્યાદ્નાદ વિચારની વિશ્વવ્યાપક્તા અને બૌદ્ધિક સહિષ્ણુતાનું પ્રતિપાદન કરે છે. આ જ સિદ્ધાંતો છેલ્લાં બે હજાર વર્ષથી જૈન ધર્મ પ્રતિષ્ઠાપૂર્વક રજુ કર્યા છે. પરંતુ આ સિદ્ધાંતની ઘણી ટીકા કરવામાં આવી છે. કેટલાક તેને અનિશ્ચયના સિદ્ધાંત કહે છે, તો બીજા તેને સંદેહવાદના પ્રકાર કહે છે. કેટલાકનું માનવું છે કે તે વિરોધથી ભરેલા છે. આ બધા મતે સાચા લાગતા નથી. તે આ સિદ્ધાંત માત્ર ખાલી વિચારોને જ લાગુ પાડે છે. હકીકતમાં તેઓ દ્રવ્યનાં મૂળ લક્ષણા પર આધાર રાખીને બતાવે છે કે “સત્ય સાપેક્ષ દૃષ્ટિએ નિત્ય છે અને છતાં સાપેક્ષ દૃષ્ટિએ પરિવર્તનશીલ છે.” સ્યાદ્વાદ પ્રમાણે દરેક રૂપાત્મક સત્ય તેના વિસ્તાર પૂરતું યથાર્થ છે અને સાત વિધાનો સત્તાનાં સંપૂર્ણ ક્ષેત્રને આવરી લે છે. પ્રત્યેક વિધાન ભિન્ન છે પરંતુ સમગ્રપણે જોતાં તે વ્યાપક રીતે સુશ્લિષ્ટ છે. સ્યાદૃાદ સંદેહશીલ છે એવી ટીકા ખોટી ઠરે છે કારણ કે તેના હેતુ, સત્યનાં સર્વ પાસાં તપાસીને એવું બતાવવાના છે કે સત્યની પ્રાપ્તિ થઈ શકે. અસ્તિત્વ અને અભાવ એ સત્યનાં ઘટક તત્ત્વા છે. પોતાનાં સ્વરૂપની દષ્ટિએ તે અસ્તિત્વ ધરાવે છે તો બીજાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy