SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ રજૂ કરવામાં આવ્યાં છે. “છે અસ્તિત્વને નિદશ કરે છે તો “કવાથનું દ્રવ્ય, રૂપ, કાળ, ક્ષેત્ર વગેરેના સંદર્ભમાં દ્રવ્યનાં પરિવર્તનને નિર્દેશ કરે છે. ૬ઠ્ઠ વિધાન સભાત સવવત્તામ્ પાત્ર છે, બીજા દ્રવ્યના સંદર્ભમાં પાત્ર નથી પણ બંનેનું એક સાથે વિધાન કરવામાં આવે તે વિચાર અવર્ણનીય બની જાય છે. અહીં એક સાથે ત્રણ વિચારેનું વિધાન કરવામાં આવ્યું છે. સાતમું વિધાન એક સાથે અસ્તિત્વ, અભાવ અને અવકતવ્યતાનું વિધાન છે. દ્રવ્ય, ક્ષેત્ર, રૂપ અને કાળના સંદર્ભમાં તે “નથી.” બે વિધાનોને ભેગાં કરવામાં આવે તો તે અવર્ણનીય બની જાય છે. ત્રીજા અને ચોથાં વિધાનને ભેગાં કરવાથી આ જાતનું વિધાન બને છે. સ્યાદ્વાદનું નિરુપણ કરતાં હાલનોબીસે આપેલું બીજું ઉદાહરણ રસપ્રદ થશે. સિકકે ઉછાળતાં, માને કે ચત્તી બાજુ દેખાઈ. આપણે કહી શકીએ કે (૧) ચત્તી બાજુ છે (અત્યારે). આનો અર્થ એ પણ થાય કે બીજે કોઈ પ્રસંગે તે ચત્તી બાજુ નથી. ત્રીજું વિધાન, જરા પણ મુશ્કેલી વગર એવું કરી શકાય કે તે છે અને તે 'નથી'. આ પહેલાં અને બીજાં વિધાનનું સંકલન છે. ચોથી કક્ષામાં એવું વિધાન છે કે હજી અનિશ્ચિત સ્થિતિ છે. તે ચત્તો હોવાની અને ન હોવાની શક્યતા છે. છે અને “નથી બને શકયતાઓને ભેગી કરતાં અક્કસ કે અનિશ્ચયાત્મક રૂપ પ્રાપ્ત થાય છે. (૫) જેના તર્કશાસ્ત્રમાં પાંચમી કક્ષામાં અનિશ્ચયનાં અસ્તિત્વનું વિધાન છે. આધુનિક ભાષામાં એનું અર્થઘટન એવું કરી શકાય કે “સંભાવનાનાં અસ્તિત્વનું વિધાન.” (૬) છઠ્ઠી કક્ષામાં સંભાવનાનાં ક્ષેત્રને અભાવ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે, (૭) સાતમી કક્ષા બીજી છ કક્ષાઓમાં નિર્દિષ્ટ સમગ્ર શકયતાઓને આવરી લે છે. સ્યાદ્વાદના મતે અસ્તિત્વ અત્યંત સંકીર્ણ છે. મનુષ્યનું મન પર્યાપ્ત રીતે તેનું ગ્રહણ કરી શકતું નથી, તેમ મનુષ્યની વાણી તેને યોગ્ય રીતે વ્યકત કરી શકતી નથી તેથી સંપૂર્ણ અને નિરુપાધિક વિધાનોને અવકાશ રહેતો નથી. એક વિશિષ્ટ દૃષ્ટિબિંદુ પૂરતાં જ બધાં વિધાને સાચાં છે. એ સ્પષ્ટ છે કે દષ્ટિબિંદુઓને ભેગાં કરતાં તેમની સંખ્યા સાતથી વધુ ન હોવી જોઈએ એટલે સૈદ્ધાંતિક રીતે માત્ર સાત જ દષ્ટિબિંદુઓ હોઈ શકે, વધુ નહીં. આમ સત્યને અંગે સાત જ વિધાને થઈ શકે, વધુ નહી. વિધાન કરવાની રીત સાતથી વધુ નહીં તેમ સાતથી ઓછી પણ નહીં એવું ગયું છે તેનું કારણ એ છે કે આ યુકિતને ઉપયોગ કરવાની આવડત હોય તે કોઈ પણ સંકીર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy