SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ધારો કે કોઈ મકાન, પહેલાં રહેવાના હેતુથી બંધાયું પરંતુ પાછળથી ગોદામ તરીકે વપરાયું. એક જણ તેને ઘર કહી શકે અને બીજો એમ કહી શકે કે તે ઘર નથી પણ ગોદામ છે. જે હેતુથી ઘર બંધાયું તે હેતુના સંદર્ભમાં વાક્યને પહેલો ભાગ સાચો છે, જ્યારે વાપરનારના સંદર્ભમાં વાકયને બીજો ભાગ સાચે છે. એટલે ત્રીજા પ્રકારનાં વિધાનમાં કોઈ વિરોધ નથી. ચોથું વિધાન વસ્તુની અવર્ણનીયતાના સંદર્ભમાં છે. સની અભિવ્યક્તિનું માધ્યમ ભાષા છે અને કેટલીક વખત એક શબ્દ એકથી વધુ અર્થ આપે છે. આવે વખતે એક શબ્દ બે શબ્દનું કામ કરે છે અને જે વિચારની પ્રતીતિ કરાવવી અભિપ્રેત હોય, તેના પર તેમજ જે સંદર્ભમાં બીજા અર્થની પ્રતીતિ અભિપ્રેત હોય, તેના પર આધાર રાખે છે. આખા ભાવની પ્રતીતિ કરાવવા શબ્દ અપર્યાપ્ત હોય કે દ્રવ્યના બધા જ ગુણ ગ્રહણ કરવા સામર્થ્ય ન હોય ત્યારે અવર્ણનીયતાની સ્થિતિનો ઉદય થાય છે. પાત્ર કે બીજા કોઈ દ્રવ્યના સંદર્ભમાં જ્યારે છે” અને “નથી એવા બે વિચારો એક સાથે ઉપસ્થિત થાય, ત્યારે વિધાન અવર્ણનીય બને છે. એક શબ્દ એક સાથે બે અર્થની પ્રતીતિ કરાવે તે અશકય છે એમ યાદ કરીએ ત્યારે આ વિધાન પાછળ તર્ક સ્પષ્ટ થાય છે. એક જ અભિવ્યક્તિમાં સમગ્ર સત્યની પ્રતીતિ કરાવવી શક્ય નથી તેથી અવકતવ્યતાનું વિધાન કરવામાં આવ્યું છે. દા. ત. તાડના ઝાડના તાજા રસને આપણે નીરો કહીએ છીએ. તેને થોડો વખત રાખી મૂકવામાં આવે તે આથો ચઢે છે. આથાની દશામાં એક સ્થિતિ એવી હોય છે જ્યારે આપણે રસને નીરો કે કેફી પીણું કે તાડી કશું કહી શકતાં નથી. હું કહી ન શકું” એ એક જ જવાબ યોગ્ય લેખાય. રસનો પ્રકાર અવર્ણનીય બને છે. આપણા વિષય પર પાછાં જતાં, છે અને ‘નથી” એવી પાત્રની બે દશાઓ એક સાથે રજૂ કરવાનો આ પ્રયાસ છે. ત્રણ પ્રાથમિક વિધાનોને ભેગાં કરીને બાકીનાં ત્રણ વિધાનની રચના એવી રીતે કરવામાં આવી છે કે આ ત્રણ અને હવે પછી પ્રતિપાદિત કરેલાં ચાર વિધાન સત્યના બધા શકય વિકલ્પોને આવરી લે. પાંચમું વિધાન, પહેલાં અને ચોથાં વિધાનને ભેગાં કરી બનાવવામાં આવ્યું છે. તે એક સાથે બે ગુણો અને “અવકતવ્યનું વિધાન કરે છે. એવું હોઈ શકે કે છે અને અવર્ણનીય છે. એટલે કે બે વિધાને એક સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy