SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ દ્રવ્યની દૃષ્ટિએ તે અભાવ ધરાવે છે. જૈન ધર્મને આ પાયાનો સિદ્ધાંત છે. પ્રત્યેક સંપ્રદાય કે ધર્મને દાર્શનિક સિદ્ધાંત તેના મૂળ સિદ્ધની દૃષ્ટિએ જોવું જોઈએ, સ્વતંત્રપણે નહીં. યાકોબીના મત પ્રમાણે અજ્ઞાનવાદની ભુલભુલામણીમાંથી તે સચોટ માર્ગ બતાવે છે. ડો. રાધાકૃષ્ણને આ સિદ્ધાંતની કડક ટીકા કરી છે, છતાં તેઓ કહે છે: “જેને સ્વીકારે છે કે એક વસ્તુ સ્વત: વિરોધી ધર્મોને, એક જ સમયે અને એક જ અર્થમાં ધરાવી ન શકે. તેઓ એટલું જ કહેવા માંગે છે કે પ્રત્યેક વસ્તુ સંકીર્ણ સ્વભાવની હોય છે અને વિભિન્નતામાં પણ એકય હોય છે. સત્તા ભિન્નતાને આવરી લે છે અને પોતાનામાં ભિન્નતાને સુમેળ સાધે છે. અમૂર્ત રીતે વિરૂદ્ધ ગુણ જીવનમાં અને અનુભવમાં સાથોસાથ બનતા હોય છે. શાખાઓ હાલતી હોય તે પરથી ઝાડને હાલતું કહી શકાય અને જમીનમાં તે પોતાની જગ્યાએ સ્થિર છે તે પરથી તે નથી હાલતું એમ કહી શકાય.' હાઇટહેડના મત પ્રમાણે સામંજસ્ય એટલે મૂળભૂત વિચારો એકબીજાની પૂર્વધારણા કરી લેતા હોય છે. સ્વતંત્રપણે તેઓ અર્થ ધરાવતા હોતા નથી. જો કે એકબીજાની સાથે સંબદ્ધ હોવા છતાં તેઓ એકબીજાની પરિભાષામાં વર્ણવી શકાય એવો અર્થ થતો નથી. વિશ્વનાં તંત્રથી સંપૂર્ણ રીતે પૃથફ એવો કોઈ પદાર્થને વિચાર ન થઈ શકે. આ સત્યને દર્શાવવું તે ચિંતનાત્મક દર્શનશાસ્ત્રનું કામ છે. આ લક્ષણમાં જ તેને સામંજસ્ય રહેલું છે. તેઓ એમ પણ કહે છે કે “જ્ઞાનનું વિભાજન એકબીજાથી નિરપેક્ષ એવા વર્ગોમાં ન થઈ શકે. પ્રત્યેક સામાન્ય સત્ય બીજાનું પ્રતિબંધક હોય છે. અને તેમના વધુ વિશાળ સામાન્ય પારસ્પરિક સંબંધથી વિભિન્ન રીતે તેમના કાર્યક્ષેત્રની સીમા પર્યાપ્ત રીતે નક્કી થતી નથી. જૈનેનું વલણ પણ આવું જ હોય છે.” સ્યાદ્વાદના કેટલાક વિચારો આંકડાશાસ્ત્રના મૂળ સિદ્ધાંતની પૃષ્ઠભૂમિમાં રહેલા સંભાવનાના વિચારને ઘણા મળતા આવે છે. જેનો અવતવ્ય અને સંભાવનાસિદ્ધાંતમાં ફેર એટલો છે કે સંભાવનાસિદ્ધાંતનાં નિશ્ચિત પરિમાણાત્મક તાત્પર્ય હોય છે. સંખ્યાવાચક આવૃત્તિઓનાં અનુપાનને વિચાર આધુનિક આંકડાશાસ્ત્રને જૈન સ્યાદ્વાદથી જુદો પાડે છે. એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે ૧૫૦૦ કે ૨૫૦૦ વર્ષ પહેલાં સ્યાદ્વાદે આંકડાશાસ્ત્રના સિદ્ધાંતને ગુણવત્તાના રૂપમાં બૌદ્ધિક પૃષ્ઠભૂમિ આપી. જૈન દર્શને વસ્તુઓની સાપેક્ષતા પર અને સત્યનાં વિવિધ લક્ષણો પર મૂકેલો ભાર, આધુનિક આંકડાશાસ્ત્રના સાહચર્ય. સહભાવ અને સંગની વિભિન્નતાના વિચારોના મૂળમાં રહેલા ખ્યાલ સાથે સામ્ય ધરાવે છે. જૈન ધર્મને યથાર્થવાદ, અનેકવવાદ, અને સત્યનાં વિવિધ અને અનંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy