SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ સહાયક હોય છે. તલમાં તેલ વ્યાપેલું હોય, તેમ તે બંને વિશ્વમાં વ્યાપેલાં હોય છે. કોઈ પણ પ્રકારનાં વિદન વગર તેઓ એકબીજાને ભેદે છે કારણ કે આકાશની જેમ તેઓ અમૂર્ત છે. આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં તેઓ ઈથરના ગુણધર્મો ધરાવે છે, જે આકાશને ભરી દે છે અને વિદ્યુત-ચુંબકીય તરંગે સંચારિત કરે છે. આ પરથી કહી શકાય કે જૈન દર્શન પ્રમાણે બધા પદાર્થો સત્ય છે અને અનેકત્વ ધરાવે છે. એક જ પદાર્થનાં અનેક રૂપાંતરો હોય છે તે દેખીતું છે. વળી પદાર્થના અનેક વર્ગો છે. એક પદાર્થને પૂર જાણવો તે જ્ઞાનના વિષયના પૂરા વર્ગને જાણવા બરાબર છે. આવું તો સર્વજ્ઞત્વમાં જ શકય છે. પદાર્થ ગુણ તેમજ રૂપાંતર ધરાવે છે, તે એક હોવા છતાં ભિન્ન છે કારણ કે તે વિવિધ રૂપાંતરો ધરાવે છે. એટલે પદાર્થ વિષે કાંઈ કહેવું હોય, તો રૂપાંતરોના પ્રવાહમાંથી જોતાં, તેને વિષે વિધાન કરવાની સાત રીતે થશે. વિશ્વ મિા સ્વભાવનું છે અને અગણિત સત્તાનું બનેલું છે. હું અને મારા સિવાયનું, ‘એક અને અનેક’, ‘સમાન અને અસમાન”, “નિત્ય અને અનિત્ય, સવિકલ્પ અને નિર્વિકલ્પ”, “પૂર્વ અને ઉત્તર', “કારણ અને કાર્ય શુભ અને અશુભ', કુરુપ અને સુરૂપ એવાં દ્વન્દ્રોનાં વિવિધ પાસાં તેમજ આત્મલક્ષી અને પરલક્ષી લક્ષણો સાથે, અનંત ગુણોનો એક સાથે સમગ્રપણે મત બાંધવે, તે બુધ્ધિ માટે લગભગ અશક્ય છે. બુધ્ધિએ બાંધેલો કોઈ પણ મત પૂર્ણ હોતું નથી, તે હંમેશાં આંશિક મત છે... તે સાપેક્ષ મત છે અને મત ધરાવનારની માન્યતા, પૂર્વગ્રહ, મનોદશા અને હેતુની અપેક્ષાનુસાર હોય છે. સામાન્ય રીતે જાણીતું છે કે જુદા જુદા વિચારકોએ વિશ્વ વિષે જુદા જુદા મત આપ્યા છે. શૂન્યવાદ, દ્વૈતવાદ, અદ્રે તવાદ, ભૌતિકવાદ, નાસ્તિકવાદ, વગેરેનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આમાંને પ્રત્યેક મત ઘણાં દૃષ્ટિબિંદુઓમાંનાં એકને રજૂ કરે છે, અને આવાં ઘણાં દૃષ્ટિબિંદુઓ હોય છે. જોનારના નિશ્ચિત દષ્ટિબિંદુ અનુસાર પ્રત્યેક દષ્ટિબિંદુ સારું છે પણ કોઈ પણ દષ્ટિબિંદુ સંપૂર્ણ નથી. વ્યકિતના દષ્ટિબિંદુ-નય–નું પૃથક્કરણ કરી તેને સમજવું તે નયવાદનું કાર્ય છે. ઉમાસ્વામીના મત પ્રમાણે જ્ઞાન પ્રમાણ અને નય દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રમાણ એટલે પહેલાં ન પૂરવાર થયેલું, પિતા વિશે તેમજ વસ્તુ વિષેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy