SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ર. દૂધ, ઘી, તેલ વગેરેમાં ઓછાવત્તા પ્રમાણમાં નેહ છે જ્યારે ધૂળ, રેતી વગેરેમાં રુક્ષતા છે. તેથી પ્રત્યેક પદાર્થ ગુણ અને રૂપથી વિશિષ્ટ છે. પ્રત્યેક પદાર્થને પિતાને વિશિષ્ટ ગુણ છે. આ ગુણથી તે બીજા પદાર્થોથી જુદો પડે છે. સામાન્ય દષ્ટિબિન્દુ પ્રમાણે જ્ઞાન જીવ સાથે અનિવાર્ય રીતે સંકળાયેલું છે, તે રૂપ વગેરે દ્રવ્ય સાથે સંકળાએલું છે. આપણે જોયું છે તેમ જૈન ધર્મ પ્રમાણે સૃષ્ટિ છ પદાર્થોની બનેલી છે. દરેક પદાર્થ સત્ય છે અને પોતાના વિશિષ્ટ ગુણો ધરાવે છે. વસ્તુ કે પદાર્થ પિતાના ગુણો બદલી શકે. દા. ત. બાળપણથી યૌવન સુધી માણસ વધે છે. યૌવનમાંથી પ્રૌઢત્વ તરફ અને પ્રૌઢવમાંથી તે વૃદ્ધાવસ્થા તરફ જાય છે. આ બધાં પરિવર્તન દરમ્યાન, મનુષ્યત્વનું લક્ષણ તે જાળવી રાખે છે. ભિન્ન ભિન્ન દશાઓનાં આવાં પરિવર્તનને સ્વીકાર છે જેના અનેકાન્તવાદ અથવા સાપેક્ષ અનેકત્વના સિદ્ધાંતના પાયામાં છે. જૈન ધર્મનું જ્ઞાનનું વર્ગીકરણ વ્યવસ્થિત છે. દાર્શનિક દષ્ટિબિંદુના તે મુખ્ય બે વિભાગો પાડે છે : નિશ્ચય અને વ્યવહાર. આમાં નિશ્ચયનય પદાર્થના અપરિવર્તનશીલ, તાત્ત્વિક ગુણોનું નિરૂપણ કરે છે તો વ્યવહારનય ઉપયોગ, પરિસ્થિતિ કે રૂપના પ્રચલિત દષ્ટિકોણ અનુસાર ગણતરી કરે છે. “આ માટીનું પાત્ર છે એ વાકય નિશ્ચયનયનું ઉદાહરણ છે તે “આ માખણનું પાત્ર છે તે માત્ર વ્યવહારનયના દૃષ્ટિકોણથી જ સાચું છે. યથાર્થજ્ઞાન, દીપકની માફક, પોતાને તેમજ પિતાની બહાર રહેલી વસ્તુને પણ પ્રકાશિત કરે છે. વિશ્વનું માનસિક અને ભૌતિક પૃથક્કરણ દર્શાવે છે કે સ્વભાવે તે અનેકત્વ ધરાવે છે. જૈન મત એ છે કે વિશ્વમાં અનંત જીવો છે. દ્રવ્ય અથવા પુદ્ગલ ગુણ અને જથ્થો બંનેની દષ્ટિએ અનિશ્ચિત છે. આધુનિક વિજ્ઞાને શોધેલાં પરમાણુને જૈન વિચારકો જાણતા હતા. આ પરમાએ ભૌતિક વસ્તુઓનાં અનંત વૈવિધ્યે ઉત્પન્ન કરે છે. આણુ વિવિધ અને અનંત હોય છે. આકાશને અનંત, આકાશાણુ અથવા પ્રદેશ હોય છે. કાળને પણ કાલાણ નામનાં અનંત, તાત્ત્વિક દષ્ટિએ સાચાં એકમો હોય છે. આ ઘટકો મિનિટ, કલાક, દિવસ, માસ, વર્ષ વગેરે રૂઢિગત વિભાજનના પાયામાં છે. ધર્મના, તેમજ અધર્મના જીવની માફક અગણિત પ્રદેશ છે. ગતિ અને સ્થિતિનાં આ માધ્યમો ધર્મ અને અધર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy