SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ અનેકાન્તવાદ (સ્યાદ્વાદ) ઉત્પત્તિ, વિનાશ અને નિત્યતા એ પદાર્થનાં વિશિષ્ટ લક્ષણ છે. આ ત્રણે લક્ષણો એકબીજાથી ભિન્ન છે. દ્રવ્યથી ભિન્ન કરીને તેમને સમજી શકાય નહીં. નિત્યતાને અર્થ એ છે કે પદાર્થનાં સ્વરૂપ, સ્થળ અને સમયમાં કેટલાંક રૂપાંતરો થઈ શકે છતાં પદાર્થને સ્વભાવ અવિનાશી છે. આનો અર્થ એ થાય કે અવિનાશી હોવું અથવા નિત્ય હોવું તે એક દષ્ટિબિંદુ અનુસાર છે, બધાં દૃષ્ટિબિંદુ અનુસાર નહીં, કારણ કે બધાં દષ્ટિબિંદુથી જે પદાર્થ અનિત્ય હેય, તેમાં પરિવર્તન હોઈ જ ન શકે. પદાર્થના અસંખ્ય ગુણ હોય છે. ઉપયોગ અથવા જરૂરિયાત ખાતર, એક દૃષ્ટિબિંદુથી પદાર્થનાં કેટલાંક લક્ષણોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય છે. બીજાં લક્ષણોની તે વખતે ઉપયોગ કે જરુરિયાત ન હોવાને કારણે તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું નથી. આમ અસ્તિત્વ ધરાવતા ગુણોને પણ વ્યક્ત કરવામાં નથી આવ્યા કારણ કે તેમનું મહત્ત્વ તે વખતે ઓછું (અનર્પિત) હોય છે. આ બંને દષ્ટિબિંદુથી જે કાંઈ સિદ્ધ થયું તેમાં કોઈ વિરોધ નથી. દા. ત. એક જ વ્યકિત–દેવદત્ત–પિતા, પુત્ર, ભાઈ ભત્રીજો વગેરે હોય, તેમાં કોઈ વિરોધ નથી કારણ કે દષ્ટિબિંદુઓ ભિન્ન ભિન્ન હોય છે. પુત્રના દષ્ટિબિંદુથી દેવદત્ત પિતા છે અને તેના (દેવદત્તના) પિતાના દષ્ટિબિંદુથી એ પુત્ર છે; આવું જ એનાં બીજા અભિધાનમાં છે. આવી જ રીતે, સામાન્ય ગુણોની દષ્ટિએ પદાર્થ નિત્ય છે પણ વિશિષ્ટ ગુણોની દષ્ટિએ તે નિત્ય નથી તેથી કોઈ વિરોધ નથી. એટલે એટલું તે સ્પષ્ટ છે કે અસ્તિત્વ ધરાવતા પ્રત્યેક પદાર્થને જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી જોઈ શકાય. બીજા શબ્દોમાં વિવિધ દષ્ટિબિંદુઓ અથવા સાપેક્ષ અનેકત્વને સિદ્ધાંત ત્યાં કામ કરે છે. પ્રત્યેક પરમાણુ અવિભાજ્ય છે. જ્યારે પરમાણુઓ ભેગા થાય છે ત્યારે આશુની રચના થાય છે. પરમાણુઓના સ્નેહ અને રુક્ષતાના ગુણોને કારણે તેનું સંયોજન થાય છે. સ્નેહ અને રુક્ષતા દ્રવ્યના ગુણો છે, તે દ્રવ્યનાં સંયોજનનાં પણ તેઓ જ કારણ છે. પાણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy