SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જ હોય છે. ઝીમર દર્શાવે છે કે એ અવસ્થામાં વ્યક્તિત્વ, આવરણો, બાહ્ય વિશિષ્ટ લક્ષણો ગળી જાય છે. સ્વચ્છ આકાશમાંથી પડતાં સ્વાદહીન અને રંગહીન વરસાદનાં બિંદુઓ જેવી આ સ્થિતિ છે. આચાર્ય કુદકુન્દ સ્પષ્ટ રીતે પૂર્ણ મુકત જીવનું સ્વરૂપ દર્શાવ્યું છે. આવો જીવ જન્મ-મૃત્યુથી મુકત થઈ વિશ્વની ટોચ ઉપર સિદ્ધશિલામાં વસે છે. તે શુદ્ધ અને આઠ પ્રકારનાં કર્મરહિત, તેમજ પરમકોષ્ઠ છે. તે સર્વજ્ઞ, સર્વલક્ષણસંપન્ન, પૂર્ણ આનંદમય, અને પૂર્ણ બળવાન છે. તે અદશ્ય, અવિનાશી અને અક્ષય છે. નિર્વાણની અવસ્થામાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ બળ, પૂર્ણ દર્શન, અસ્તિત્વ, અમૂર્તત્વ, આકાશવ, અને આકારહીનતા હોય છે. અહીં ગતિનું માધ્યમ નથી હતું. અહીં સુખ કે દુ:ખ, ક્રોધ, વિદન, મોહ કે વિસ્મય–કશું જ નથી હોતું. મનુષ્યપ્રયત્નનું આ જ ધ્યેય છે. બધા ધર્મો મેક્ષને સિદ્ધ કરવા યોગ્ય તેમજ પ્રાપ્ત કરવા યોગ્ય ગણે છે. માત્ર આત્માને સમજવાથી આ ધ્યેયની પ્રાપ્તિ થઈ જતી નથી. પરંતુ સર્વ કષાયો અને મનની તેમજ દેહની, આધ્યાત્મિક પ્રગતિને રોકતી સર્વ દુર્બળતાઓથી મુકત થઈને જ આવી પ્રાપ્તિ કરી શકાય છે. જૈન ધર્મના મત પ્રમાણે આધ્યાત્મિક જીવન તરફની જીવની મુસાફરી, સમ્યકત્વથી શરૂ થાય છે. સાચી દષ્ટિ મળતાં પોતે જેમાં વસે છે તે વિશ્વનું, જીવ અને અજીવ જેવા મુખ્ય દ્રવ્યોનું, વિવિધ પ્રકારનાં કર્મબંધનનું, કારણનું, અને જે દ્રારા કર્મમાંથી મુકિત મેળવી શકાય તે વ્રત અને તપસ્યાનું જ્ઞાન મેળવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. નૈતિક અને આધ્યાત્મિક સિદ્ધાંત (જેમને ઉદ્દેશ અંતરની શુદ્ધિ અને આસકિતમાંથી મુકિત મેળવવાનો છે) વિકાસ પ્રત્યે વ્યકિતને અભિમુખ કરે છે, અને વિકાસથી જીવની શુદ્ધિ થાય છે. મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે અને જીવની મુકિત માટે ધ્યાન અત્યંત મહત્ત્વનું છે. - શુદ્ધ, નિષ્કલંક એકાગ્રતા પ્રાપ્ત કરવાની મુશ્કેલીઓ પર બુદ્ધિયુકત ભાર મૂકવામાં આવ્યો છે. ચિ, અરુચિ, ધિક્કાર, ક્રોધ, સ્વાર્થ અને લેભના, સૌ કોઈને આવે એવા વિચારોથી મન ચંચળ અને સુબ્ધ બને છે. વિચારની આવી અશુદ્ધિઓ મનની સ્થિરતાને જ્યારે ડહોળી નાંખે, ત્યારે ગુણ, વ્રતપાલન, તપશ્ચર્યા, પીડા, આત્મવિશ્લેષણ અને પશ્ચાત્તાપથી તેમને પરાસ્ત કરવાનાં છે. પ્રગતિ જો ચાલુ રહે, તે ધર્મો અને શુકલધ્યાન સાધકને જીવનાં વળગણ પર વિજય પ્રાપ્ત કરવામાં, વળગણોનો પૂર્ણ નાશ થાય ત્યાં સુધી, ઉપર કહેલી રીત પ્રમાણે મદદરૂપ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy