SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. જૈન રહસ્યવાદ વેદાંતના રહસ્યવાદ કરતાં સાવ નિરાળા છે. વ્યાવહારિક દૃષ્ટિએ ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર વગેરે રહસ્યવાદી જૈનાના પ્રથમ તીર્થંકર ઋષભનાથને માટે પ્રો. રાનાડે યથાર્થ રીતે કહે છે : “છતાં એ જુદા પ્રકારના રહસ્યવાદી હતા. શરીર પ્રત્યેની નરી ઉપેક્ષા, એમના ઈશ્વરસાક્ષાત્કારની શ્રેષ્ઠ નિશાની હતી.” વળી તે તેની રહસ્યમય જિંદગીની વિગતો આપે છે. એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે ભાગવતમાં આપેલી ઋષભનાથ વિષેની વિગતો જૈન પરંપરામાં નોંધેલી વિગતો સાથે મૂળમાં અને વ્યાવહારિક રીતે મળતી આવે છે. ૨૨૯ જૈન માન્યતા પ્રમાણે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરેલા આત્મા સૂર્ય જેવા પ્રભાવશાળી હોય છે અને તે અસામાન્ય, નિર્દોષ આનંદ અનુભવે છે. આત્મા જે ક્ષણે આત્મસાક્ષાત્કાર કરે છે, તે ક્ષણે ખૂબ પ્રકાશ ઝળહળી ઊઠે છે. આત્મા તે જ ક્ષણે આનંદમય બની જાય છે અને વિશ્વનું અમર્યાદિત જ્ઞાન ધરાવે છે. આત્માનાં સાચાં સ્વરૂપ અને વિશ્વના વિવિધ પદાર્થોનાં જ્ઞાનની પ્રાપ્તિ માટે જૈન વિચારકોએ વ્યવહારૂ ક્રમે। સુચવ્યા છે. આધ્યાત્મિક વૃત્તિના વિકાસથી પ્રવાસના પ્રારંભ થાય છે. પત્ની, સંતાના જેવા ચેતન પદાર્થો સાથેના બધા સંબંધાથી વિરક્ત થવાનું છે, અને ઊડું જ્ઞાન કેળવવાનું છે. આ જ્ઞાનને કારણે આસપાસનાં જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. વ્રત અને તપસ્યા દ્વારા તેમજ રત્નત્રય પ્રત્યેની ભક્તિ અને જિનભક્તિ દ્વારા જીવે શિસ્ત કેળવવાની હોય છે જેથી તે મનની અને દેહની શુદ્ધિ પ્રાપ્ત કરી શકે અને તે દ્વારા કર્મના વિનાશ કરી શકે. આધ્યાત્મિક અનુભવની સૌથી નીચી કોટિમાંથી જીવ ઊંચે ને ઊંચે આધ્યાત્મિક ઉન્નતિની શ્રેષ્ઠ કોટિએ શી રીતે પહોંચે તે ચૌદ ગુણસ્થાનાનાં નિરુપણમાં (પ્રકરણ ૧૧) ચર્ચાઈ ગયું છે. જૈન નીતિશાસ્રનાં રહસ્યનું મહત્ત્વ સેગાનીએ વિગતવાર ચર્યું છે. કષાયાની ગુફામાંથી બહાર નીકળીને જીવ ચૈતન્યના ધામમાં કેવી રીતે રહે તે પણ બતાવ્યું છે. બહિરાત્મા દરેક વસ્તુને પેાતાની માને છે. અંતરાત્મા પરમાત્મા સિવાય બધી વસ્તુઓને નકારે છે— સ્વીકાર-અસ્વીકારના દુન્દ્રોથી પર થઈ જાય છે, સિદ્ધત્ત્વની પ્રાપ્તિ અર્થે અજ્ઞાનની સ્થિતિમાંથી આધ્યાત્મિક ઉન્નતિ તરફ પ્રગતિ કરે છે, અને બધી વસ્તુઓની ઉપરવટ થઈ, સંપૂર્ણ મેક્ષ પ્રાપ્ત કરે છે. રાધાકૃષ્ણન કહે છે તે પ્રમાણે મુકતાત્માનું સીધું વર્ણન આપવાનું શકય નથી. કર્મ અને તૃષ્ણાથી મુકત સ્થિતિ તે મોક્ષ. આ સ્થિતિમાં પૂર્ણ અને કેવળ શાંતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy