SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જૈન રહસ્યવાદ બે વિચારોની આજુબાજુ ગુંથાએલો છે : આત્મા અને પરમાત્મા પરમાત્મા એટલે ઈશ્વર. જો કે ઈશ્વરને અહીં કદી સૃષ્ટિને સર્જક માનવામાં આવ્યો નથી. રહસ્યવાદમાં દિવ્યતાને સર્જનાત્મક ભાવ, મારા મત પ્રમાણે અનિવાર્ય નથી. આત્મા અને પરમાત્મા એક જ છે પણ સંસારમાં આત્માને કર્મનાં બંધન હોય છે. અને તેથી પરમેશ્વરત્વ સુધી તેને વિકાસ થયો હોતે નથી. સાધકે આત્મા પર જામેલાં કર્મનાં પડને વિનાશ કરી આ ઐક્યને સાક્ષાત્કાર કરવાનો હોય છે. જૈન ધર્મમાં પરમાત્માની ભાવના વ્યકિતગત પૂર્ણતાની ભાવનાની નજીક હોય છે. આત્મા પોતે જ પરમાત્મા બને છે. વેદાંતમાં દર્શાવ્યા પ્રમાણે તે પરબ્રહ્મમાં વિલીન થતું નથી. જૈન ધર્મમાં આધ્યાત્મિક અનુભવમાં એક વિભકત આત્મા પૂર્ણ ઐક્યની પ્રાપ્તિ નથી કરતો, પરંતુ બદ્ધ વ્યકિત તેની સુષુપ્ત દિવ્યતાને અભિવ્યક્ત કરે છે. ધર્મમાર્ગે જતો જીવ આધ્યાત્મિક નિસરણીનાં પગથિયાં ઊંચે ને ઊંચે ચઢયે જાય છે. આ પગથિયાંને ગુણસ્થાન કહેવામાં આવે છે અને પ્રત્યેક ગુણસ્થાને કર્મો નષ્ટ થતાં જાય છે. કેટલાંક ગુણસ્થાનો માત્ર સમાધિની દશાઓ છે અને સમાધિનો વિષય, શુદ્ધ જીવના સુષુપ્ત ગુણો છે. થોડી સિદ્ધિઓ એટલે કે ચમત્કારિક પ્રાપ્તિઓથી ગેરમાર્ગે ન દોરવાતાં, આત્મસાક્ષાત્કાર થાય ત્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવાની સાધકને સૂચના આપવામાં આવી છે. પ્રકરણ ૬માં આપણે જોયું છે કે જૈન મત પ્રમાણે ત્રણ પ્રકારનાં પ્રત્યક્ષજ્ઞાન છે : અવધિજ્ઞાન, મન:પર્યાપ્તજ્ઞાન અને કેવળજ્ઞાન. માત્ર કેવળજ્ઞાનથી જ, સમય અને સ્થળથી નિરપેક્ષ રહીને જીવ બધું જાણી શકે છે. તીર્થંકર આદર્શ શિક્ષક છે અને તેમણે કોષ્ઠ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે. તીર્થકરના શબ્દો સૌથી મોટું પ્રમાણ છે. જૈન ધર્મ રહસ્યવાદનાં બધાં મહત્ત્વનાં તત્ત્વો ધરાવે છે. રહસ્યમય દર્શનેનું બૌદ્ધિક રીતે મૂલ્યાંકન કરવાથી તેમનું સાચું મૂલ્ય સમજાતું નથી. આવાં દર્શનનો જેમને અનુભવ થયો હોય છે તેમને દર્શનની સચ્ચાઈ વિષે લેશમાત્ર પણ શંકા હોતી નથી. તેમની સર્વવ્યાપકતા પુરવાર કરે છે કે આ અનુભવો સાચી બનેલી ઘટના છે. યોગીન્દુએ આ પ્રકારનાં દર્શનની ઝાંખી નોંધી છે. આ પ્રકારનાં દર્શન પ્રકાશમય અથવા શ્વેત તેજ ધરાવતાં હોય છે. ઉપસંહારમાં એટલું નોંધવું જોઈએ કે જૈન સાધુઓ માટે નક્કી થએલાં નૈતિક ધોરણો અત્યંત કઠોર હોય છે અને જૈન રહસ્યવાદને તંત્રની હલકી કોટિ પર ઉતરવા દેતાં નથી. જૈન સાધુ માટે નક્કી થએલી દિનચર્યા તેમને જે ગૃહસ્થોનાં કલ્યાણ માટે ચમત્કાર કે જાદુના પ્રયોગોના ઉચ્ચારણ કે આચરણ કરવાની અનુમતિ આપતી નથી. સાધુએ ગૃહસ્થ સાથે બહુ ઓછો સમય ગાળવાનો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy