SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ હિન્દુ દાર્શનિકોના મત પ્રમાણે ઈશ્વરનું શરણ અને પરમાત્મા અથવા બ્રહ્મમાં આત્માનું વિલીન થઈ જવું તે મોક્ષ. જૈનમત આવા કોઈ પરમેશ્વરમાં માનતો ન હોવાથી વિલીન થવાના વિચારને કોઈ અવકાશ નથી. પણ આત્મસાક્ષાત્કારનું સ્વરૂપ બંનેમાં એક જ પ્રકારનું છે. ફેર એટલો જ કે હિન્દુ ધર્મમાં તેને ઈશ્વર સાક્ષાત્કાર કહે છે. આર. ડી રાનડેએ દર્શાવ્યું છે કે ઉચ્ચતમ આધ્યાત્મિક વિકાસમાં તત્ત્વવિદ્યા, નીતિ અને રહસ્યવાદ, અવિભકત હોય છે. રહસ્યવાદીઓના મત પ્રમાણે સ્વયંસ્ફરણા એ અતીંદ્રિય અનુભવની એક શક્તિ છે. યોગ્ય આધ્યાત્મિક દીક્ષા અને આચરણને કારણે તેનો ઉદય થાય છે. શરીરવિજ્ઞાનની દષ્ટિએ આપણે કહીએ કે સ્વયંસ્ફરણાની શકિત બાહ્ય કરતાં અંતર સાથે વધુ સંકળાએલી છે. બાહ્ય ઇન્દ્રિયોને અનુભવ અહીં કામનો નથી. સ્વયંસ્ફરણાની પ્રક્રિયામાં એટલે કે ઈશ્વરના માર્ગને અનુસરવાની પ્રક્રિયામાં આપણાં અંતરમાં થયેલ અનુભવ જ મહત્ત્વનું છે. એટલે સ્વયંસ્ફરણા, અતીંદ્રિય અનુભવ અને અંતરનો અનુભવ ગૂઢ અનુભવના વિકાસમાં સંબંધ ધરાવે છે. આધ્યાત્મિક જીવનમાં રાનડેએ ત્રણ પ્રેરક તને ઉલ્લેખ કર્યો છે : (૧) જન્મ અને તેમાં પણ મનુષ્યજન્મ મહાન છે. તેથી ધ્યેય સિધ્ધ કરવું તે જિંદગીને વધુ સારો ઉપયોગ છે. (૨) આપણે આપણા પૂર્વજીવન ઉપર દૃષ્ટિક્ષેપ કર જોઈએ. આધ્યાત્મિક જીવનની પ્રેરણા આપે એ, અમર જીવનને ઉચ્ચ ખ્યાલ તેમાંથી મળી રહેશે. (૩) ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થએલું જ્ઞાન, ઘણી વખત મનુષ્યને છેતરે છે અને કેટલીક વખત તે તેનો વિનાશ પણ કરે છે. તેથી ઇન્દ્રિયની ઉપર જવાની પ્રેરણા થાય છે તેમ જ મનુષ્ય વધારે ઉચિત અને ઉચ્ચ હેતુ માટે ઈન્દ્રિયોને ઉપયોગ કરવા પ્રેરાય છે. તેમના મત પ્રમાણે નિર્વાણ એટલે સમાપ્તિ નહીં પરંતુ બધા જ કષાયો, બધી જ તૃષ્ણાઓ અને બધા જ આવેગોને દૂર કરી, આનંદમય અનુભૂતિ, પૂર્ણમાં વિલીનીકરણ. હિંદુ રહસ્યવાદનો આ વિચાર છે. દિવ્ય અનુભવ એટલે સીધે, તાત્કાલિક, પ્રત્યક્ષ, સ્વયંસ્કૃતિ ઈશ્વરનો બોધ. મનુષ્યત્વ અને દિવ્યત્વના પારસ્પરિક સંબંધનો તેમાં સીધો અનુભવ હોય છે. તે મનુષ્યના આત્મા અને પરબ્રહ્મનું ઐકય સૂચવે છે. આ ગૂઢ અનુભવમાં પોતે જેની સતત શોધ કરી હતી તેની પ્રાપ્તિ થવાથી ઉન્નતિની અને મુકિતની ભાવના થાય છે. આ અનુભવ આનંદપૂર્ણ હોય છે. જૈન ધર્મમાં અતિપ્રાચીન કુન્દકુન્દ અને પૂજ્યપાદ જેવા સંત લેખકોએ ગૂઢ અને ઉચ્ચતમ અનુભવોને વર્ણવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy