SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ લગભગ બધા જ જૈન વિચારકોએ આત્મા દ્વારા પરમાત્માના સાક્ષાત્કારના વિચારને પ્રસ્તુત કર્યો છે. સેમદેવ ચાર પ્રકારનાં શુક્લધ્યાનને નિર્દેશ કરે છે અને ચોથા પ્રકારનાં ધ્યાનને નિષ્ક્રિયાયોગ કહે છે, જેમાં કોઈ પણ પ્રકારનાં આદેલનોને સંપૂર્ણ અભાવ હોય છે. લેખકના મતને હેન્ડીકવી આ પ્રમાણે સમજાવે છે. “દેહની ઉપરવટ જઈ, મન સાથેના યોગીના સંબંધે હવે લુપ્ત થાય છે અને તેના પ્રાણ વિરમે છે. તે કોષ્ઠ ધ્યેય અને પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આ અવસ્થામાં જીવ પરમાત્મરૂપ બને છે. આ જ મોક્ષ છે અને ઘાતિકર્મ તેમ જ અઘાતિકર્મને ક્ષય તે જ આનું લક્ષણ છે. જન્મની મર્યાદામાંથી જીવ મુકત થાય છે. આ અવસ્થામાં જીવ પોતાના ગુણ પ્રાપ્ત કરે છે.” કુન્દકુન્દ્રાચાર્યે કહ્યું છે કે જે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ધરાવે છે, એકાગ્રપણે પોતાના જીવનનું ધ્યાન ધરે છે, તે કર્મમાંથી મુકત થઈ પરમાત્મસ્વરૂપ બને છે. યોગીન્દુદેવ કહે છે કે મહાસમાધિરૂપી સાગરમાં ઊંડી ડુબકી મારતા સાધુનાં કર્મો ધોવાઈ જાય છે અને જીવ વિશુદ્ધિ મેળવે છે. સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરેલો, લેક અને અલકને જાણ જીવ અહંત બને છે અને આનંદમય રહે છે. ઇન્દ્રિયની બધી પ્રવૃત્તિઓનો ઉપશમ કર્યા પછી પૂર્ણ એકાગ્રતા સાથે આત્મા, આત્મામાં રહીને આત્માનું ચિંતન કરે છે. આવો જ મત સેમદેવે દર્શાવ્યો છે. તેના મત પ્રમાણે ધ્યાન ધરનાર વ્યક્તિએ, રત્નત્રયને માર્ગ, ચારિત્ર્યના નિયમે, અનુપ્રેક્ષા અને જૈન ધર્મના સાત સિદ્ધાંત તેમ જ ભગવાન જિનની મૂર્તિનું ચિંતન કરવું. ધ્યાનને પરમ ઉદ્દેશ આત્માનું ચિંતન છે. સાધકે મનેમન વિચાર કરવાને છે કે પિતે સત્યને જાણે છે, ધર્મગ્રંથમાં દઢ આસ્થા ધરાવે છે, પોતે બધી બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરશે અને આત્માને પરમાત્મામાં સમાવશે. લગભગ બધા જ ધર્મોમાં ધ્યાનનો આદેશ છે. પ્રાચીન હિન્દુ દાર્શનિકોએ ગ નામના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. યોગ એટલે આત્મસાક્ષાત્કારનું વિજ્ઞાન. પંતજલિને વેગ નૈતિક અને દૈહિક નિગ્રહને આધ્યાત્મિક પ્રગતિમાં અનિવાર્ય ગણે છે. આ મતના મૂળભૂત સિદ્ધાંત અને આચરણ તેમ જ જૈનયમત વચ્ચે મળતાપણું છે. શુભચન્દ્રને જ્ઞાનાવ અને હેમચન્દ્રનું યોરાત્ર આધ્યાત્મિક પ્રગતિનાં વિજ્ઞાન એવા યોગનાં અધ્યયનમાં અમૂલ્ય ફાળો આપે છે. જેના સાહિત્યમાં હરિભદ્ર યોગની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે મોક્ષમાર્ગે લઈ જાય તે યોગ, એગ કરતાં ધ્યાન અને સમાધિ જેવા શબ્દો વધારે પ્રચલિત હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy