SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ વચ્ચેના હોય છે. પાયામાં છે. જેવી રીતે વાદળાંને સમૂહ પવનથી વિખેરાઈ જાય, તેવી રીતે ધ્યાનના પ્રબળ ઝંઝાથી કર્મસમૂહનો નાશ થાય છે. કષાય, ઇર્ષ્યા, વિષાદ જેવી મનની સ્વાભાવિક સ્થિતિથી મન અલિપ્ત બને છે અને કર્મરહિત બને છે. ધ્યાન સમગ્ર આધ્યાત્મિક વિકાસના પાયામાં છે તેથી સાચું સુખ મેળવવા ઈચ્છતા સૌ કોઈએ ધ્યાન ધરવું પડે છે. માહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ તેમજ અંતરાય કર્મનો નાશ થાય ત્યારે જ સર્વજ્ઞત્વ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞત્વ જેને પ્રાપ્ત થયું છે તે જ જીવ અર્હત બને છે અને અઘાતિકર્માના પણ ક્ષય થાય ત્યારે તે સિદ્ધ બને છે. આયુષ્કર્મના સંપૂર્ણ ક્ષય ઉપર, આ બે અવસ્થા ગાળા આધાર રાખે છે, પ્રત્યેક જીવ દીઠ આ ગાળા ભિન્ન ભિન્ન બધાં કર્મોના વિનાશ થાય કે ક્ષય થાય છે, ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે. જીવ બધાં કર્મોમાંથી મુક્ત થાય છે ત્યારે તે પરમાત્મા અથવા સિદ્ધ બને છે અને વિશ્વના શિખર ઉપર સ્થાન મેળવે છે. એ યાદ કરાવવું જરૂરી છે કે જીવના સ્વાભાવિક ગુણ ઊર્ધ્વગતિ છે. આસકિતનાં બંધનમાંથી મુક્ત થતાં જીવ ઊર્ધ્વગમનના પોતાના સ્વભાવ પુનઃ પ્રાપ્ત કરે છે. મીણબત્તીની જ્યોત પોતાની જાતે ઊંચે ચઢે છે. ઊંચે ચઢવાના એના સ્વભાવ છે. પવનના ઝપાટો આવે ત્યારે જ તે જુદી જુદી દિશામાં ડોલવા લાગે છે. પવન ન હાય, તા તે ઉપર જ જાય છે. પરમાત્મપદ પ્રાપ્ત કરેલા જીવ સૃષ્ટિના અંત તરફ જાય છે કારણ કે અલાકમાં ગતિના સહાયરૂપ થવા માટે ગતિનું માધ્યમ હોતું નથી. શુદ્ધ જીવ અથવા સિદ્ધ એક વખત બ્રહ્માંડની ટોચ ઉપર પહેોંચે પછી તે નિત્ય ત્યાં રહે છે. શાશ્વત આનંદમય સ્થાનમાંથી તેને કયારે ય પાર્થિવ જગતમાં પાછું આવવું પડતું નથી. સાચું ધ્યાન તે જીવનું ધ્યાન જ છે. તે અવસ્થામાં જમીન, ઘર, સેાનું, સંપત્તિ જેવા બાહ્ય પરિગ્રહા કે મેાહ, દ્વેષ, શાક, ભય, ધિક્કાર જેવા મનની સમતુલાને જોખમમાં મૂકતાં આત્યંતર વિઘ્ના મનની ક્ષિતિજ પરથી તદ્ન અદૃશ્ય થઈ જાય છે. બધી જ શક્તિઓ બાહ્ય પ્રવૃત્તિ રહિત બની જાય છે અને જીવ પોતાના પર જ એકાગ્ર બની જાય છે. જીવનું ચિંતન એ ધ્યાનના પરમ ઉદ્દેશ હોય છે. સાધકે મનમાં ચિંતન કરવાનું હોય છે કે પોતે સત્યને જાણે છે અને ધર્મગ્રંથામાં આસ્થા ધરાવે છે; બધી બાહ્ય પ્રવૃત્તિઓના પોતે ત્યાગ કરશે અને આત્માને પરમાત્મામાં સમાવી દેશે. જ્ઞાનાર્ણવ ૪૦–૧૯માં સમજાવ્યા પ્રમાણે ધ્યાનમગ્ન મનુષ્ય આત્મા અને પરમાત્માનું ઐકય સાધવું જોઈએ કારણ કે એ જ જીવના સ્વભાવ છે. પરમાત્માના ગુણાને જ તેણે જીવમાં જોવા જોઈએ. જૈ.—૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy