SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ થાય છે અને તે દ્વિધાવૃત્તિમાંથી મુકત થાય છે. શુદ્ધ સ્ફટિકની જેમ તે નિષ્કલંક અને દોષરહિત હોય છે. તેની એકાગ્રતામાં કોઈ ભંગ પડતો નથી અને અદ્વિતીય શુદ્ધ ધાર્મિક એકાગ્રતાથી તે ચાર પ્રકારનાં કર્મોનો ક્ષય કરે છે. ચાર પ્રકારનાં શુકલ ધ્યાન જિનભદ્ર પણ દર્શાવ્યાં છે: (૧) પદાર્થોની ભિન્નતાના અન્વેષણથી અને ચિતનથી વિશિષ્ટ બનેલું ધ્યાન (૨) અન્વેષણ વિના પદાર્થના એક માત્ર સ્વભાવ વિશેનાં ચિતનથી વિશિષ્ટ ધ્યાન. (૩) અચૂક અને પાછું વાળી ન શકાય એવું સૂક્ષ્મ દેહનાં હલનચલન સાથેનું ધ્યાન (૪) આ સૂક્ષ્મ પ્રવૃત્તિઓ થંભે ત્યાં ધ્યાન. પ્રથમ બે પ્રકારો સૂક્ષમતમ પદાર્થ પર મનને એકાગ્ર અને સ્થિર કરીને મન, વચન અને કર્મની પ્રવૃત્તિઓને ભાવવાની ભૂમિકા તૈયાર કરે છે. ત્રીજા અને ચોથા પ્રકારનાં ધ્યાનથી આ સિદ્ધ થાય છે. પ્રથમ બે પ્રકારનાં ધ્યાનમાં જે રોકાએલાં છે તેઓ ચૌદ પ્રાચીન ધર્મગ્રંથોમાં પ્રવીણ છે –શ્રુતજ્ઞાનમાં પ્રવીણ છે. એવું લાગે છે કે શુકલ ધ્યાનના પ્રથમ બે પ્રકારમાં ધર્મજ્ઞાનવિષયક ચિંતન મહત્ત્વનું છે. પ્રથમ પ્રકારમાં એક પદાર્થના એક લક્ષણ વિષે ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી ધ્યાનને એકાગ્ર કરવાનું છે, તેમજ ધ્યાન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જઈ શકે. બીજા પ્રકારમાં એક જ વિષય પર મનને સ્થિર કરવાનું છે, એક લક્ષણથી બીજા લક્ષણ પર ધ્યાન જવું ન જોઈએ. પહેલું ધ્યાન “જૂથવિતાવિવાર' ને નામે ઓળખાય છે જ્યારે બીજું “વાર્તાવિત વિવારને' નામે ઓળખાય છે. ત્રીજા પ્રકારનું શુકલ ધ્યાન સૂઝિયાતિવર્તી કહેવાય છે. તેમાં દેહની સૂક્ષ્મ ક્રિયાઓ થતી હોય છે અને મોક્ષ પ્રાપ્તિની કેટલીક ક્ષણો પહેલાં આ પ્રકારનાં ધ્યાનમાં ઉતરવાનું હોય છે. વાણી અને મનની બધી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે શંભી ગઈ હોય છે પરંતુ શ્વાસ લેવાની ક્રિયા ચાલુ હોય છે. દેહની સૂક્ષ્મ પ્રવૃત્તિ પર જ જીવ રહ્યો છે. આ અવસ્થામાંથી પાછું ફરવાનું હોતું નથી, અને આપઆપ જ જીવ આગળની દશા તરફ પ્રગતિ કરે છે. છેલ્લાં પ્રકારનાં શુકલ ધ્યાનમાં જીવ ગતિહીન બની જાય છે. શરીર, મન અને વાણીની પ્રવૃત્તિઓનો અંત આવે છે અને જીવ મોક્ષ મેળવે છે. મોક્ષ પહેલાં સૂકમ પ્રવૃત્તિઓને પણ અંત આવે છે. આમ ધ્યાનને હેતુ સર્વકર્મમાંથી સંપૂર્ણ મુકિત મેળવવાનો છે. બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યા, વૈરાગ્ય અને ધર્મગ્રંથના સ્વાધ્યાયપૂર્વક ધ્યાન આ પ્રક્રિયાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy