SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ જીવને ગુચવતાં કમેને દૂર કરવામાં મદદ કરશે તેમજ નવાં કર્મોના આસવમાંથી તેને રોકશે. સ્વાધ્યાય મનને શુદ્ધ અને ક્રિયાશીલ બનાવશે. મન વિદથી તેમજ દુwવૃત્તિઓનાં વિદનથી મુકત બનશે. મોહ અને અનિશ્ચિતતામાંથી મુકત થઈ શાંત, એકાગ્ર અને તીર્થકરોએ દર્શાવેલા માર્ગની સચ્ચાઈ પર તે દઢ આસ્થા ધરાવતું બનશે. સંસારને સાચો સ્વભાવ જાણતો હોવાથી સાધક સંસાર પ્રત્યેના રાગથી મુકત થાય છે. દુન્યવી આનંદમાં તે રાચતા નથી અને ધ્યાનમાં સ્થિર થતો જાય છે. તે એવો શાંત અને એકાગ્ર થવા લાગે છે કે તે સમૂહમાં હોય કે નિર્જન વનમાં હોય તેમાં તેને કોઈ ભેદ લાગતો નથી. સ્થાન, સમય, આસન, કોઈનું બંધન રહેતું નથી. આ પ્રકારનાં ધ્યાન માટે આટલું મહત્ત્વનું છે: ધાર્મિક સ્વાધ્યાય, બાર અનુપ્રેક્ષા, દશ ધર્મનું આચરણ અને દેહ, મન કે વાણીની દુષ્પવૃત્તિઓને પરિહાર. દેહ કે બુદ્ધિની સ્વાભાવિક નિર્બળતા ગમે તેવી હૈય, પોતાની સમજ અનુસાર, સ્વાધ્યાય અનુસાર અને તીર્થકરોના ઉપદેશ વિષે સંતોના અનુશાસન વિશે વિચાર, અને રાગ, દ્વેષ, કષાયનાં દૂષણો રહિત જીવનાં સ્વરૂપનું ધ્યાન તે ધર્મધ્યાન. ચોથું અને સર્વશ્રેષ્ઠ ધ્યાન તે શુકલ ધ્યાન (ત અથવા શુદ્ધ ધ્યાન). તે સૌથી ઊંચા પ્રકારનું ધ્યાન છે. માત્ર સર્વ માટે જ આ પ્રકારનું ધ્યાન શક્ય છે. તે ચાર પ્રકારનું છે: ધર્મગ્રંથનું પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરી જેમણે સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો હોય, તેઓ જ બે પ્રકારનાં ધ્યાન ધરી શકે છે. આધ્યાત્મિક પ્રગતિમાં છેલ્લાં પગથિયાં ચઢે તે પહેલાં જીવને આ બે પ્રકારનાં ધ્યાન થાય છે. જન્મમૃત્યુના ફેરામાંથી મુકત થવા માટે મનની શુદ્ધિ અ સંયમ અને બીજાં વ્રતોનું પાલન કર્યું હોય તેવા સાધુઓ વડે આવું ધ્યાન ધરાવું જોઈએ. સાધુ ભૌતિક અણુ કે ભાવાણુનું ધ્યાન ધરે છે અને ધર્મજ્ઞાન દ્વારા અક્ષર, પ્રતીકે કે દેહ અથવા વાણીની ઈદ્રિયની પ્રવૃત્તિ પર ધ્યાન બદલ્યાં કરે છે. જેવી રીતે ઓછાં બળવાળી પણ ઉત્સાહી વ્યકિત લાંબે વખતે અસ્થિર હાથે અને બુઠ્ઠી કુહાડી સાથે ઝાડ કાપે, તેવી રીતે સાધુ મેહનીય કર્મોનું દમન કરે છે અને તેમને ક્ષય કરે છે, તેમજ પ્રથમ પ્રકારની શુદ્ધ એકાગ્રતા એટલે કે સ્વતંત્ર, ધાર્મિક, પરિવર્તનશીલ એકાગ્રતા મેળવે છે. મેહનીય કર્મોને વિનાશ કરવા ઇચ્છતા સાધુએ પોતાનાં મનને શુદ્ધ પ્રવૃત્તિમાં યોજવું જોઈએ. આ પ્રવૃત્તિ નવાં કર્મોના આગ્રહને માત્ર અવરોધતી નથી પણ જ્ઞાનાવરણીય કર્મોના વિનાશમાં પણ મદદરૂપ નીવડે છે. ધર્મજ્ઞાન તેને મદદરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy