SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ (૩) કર્મનાં પરિણામ જોવામાં (વિપવિરા) (૪) સૃષ્ટિનું બંધારણ જોવામાં (સંથાવિવા) સમાયેલું હોય છે. સ્વાધ્યાય આ જાતનાં ધ્યાનને એક પ્રકાર છે. આ પદાર્થો પરના ધ્યાનને કારણે આવેલી વિચારોની એકાગ્રતાને ધર્મધ્યાન કહે છે. આ પ્રકારની એકાગ્રતાની ક્ષમતા ધરાવતા જીવની વિશિષ્ટ નિશાની પોતે પસંદ કરેલા માર્ગ પ્રત્યે નૈસર્ગિક પ્રેમ અને શ્રદ્ધા અને પોતે જેની દીક્ષા લીધી છે તે દર્શન પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા છે. વાચના, પ્રતિપૃચ્છના અને અનુપ્રેક્ષા દ્વારા આ પ્રકારની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. આ પરથી સ્પષ્ટ થશે કે આ પ્રકારનાં ધ્યાનમાં રત્નત્રયની પ્રાપ્તિ અને વૈરાગ્ય જરૂરી છે. શુભચંદ્ર કહ્યું છે કે આ પ્રકારનાં ધ્યાન માટે મનુષ્ય પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી, વિદ્વાને પ્રત્યે માન, મુશ્કેલીમાં આવેલા પ્રત્યે કરુણા અને વિકૃત વ્યકિતઓ પ્રત્યે ઉદાસીનતા (મધ્યસ્થભાવ) પ્રાપ્ત કરવાં જોઈએ. આ ગુણો પ્રાપ્ત કર્યાથી મનુષ્ય બધા મેહ દૂર કરી, સાંસારિક જીવન વિષેના મિથ્યા ખ્યાલો દૂર કરી આધ્યાત્મિક પદ પ્રત્યે જરૂરી ઊર્ધ્વગતિ કરી શકશે. સત્યનાં દુર્ગમ સ્વરૂપને કારણે અને તેનાં વિવિધ લક્ષણો વિષે પૂરતી માહિતી ન હોવાને કારણે પ્રત્યેક વ્યક્તિ યથાર્થરૂપે સૃષ્ટિને જાણે તે શકય નથી. મિથ્થા દર્શન અને મિથ્યા જ્ઞાન એટલાં બધાં પ્રચલિત છે કે અજ્ઞાનની ભુલભુલામણીમાં કોઈ પણ સહેલાઈથી અટવાઈ જાય છે અને સત્યથી વેગળો જતો જાય છે. તેથી આ ધ્યાનમાં સાંસારિક અસ્તિત્વના પ્રશ્ન પર, પ્રાણીઓને જન્મ-મૃત્યુમાં સપડાવાના કારણે વિષે વિચાર કરવાનું હોય છે. જીવનનાં સભાગ્યમાં કે દુર્ભાગ્યમાં વિવિધ પ્રકારનાં કર્મોની લીલાનો વિચાર કરવાને હોય છે અને તેનાં કારણોને પણ વિચાર કરવાનો હોય છે. દિનચર્યામાં દશ ધર્મોનું પાલન કરવાનું હોય છે જેથી ગુણ પરની એકાગ્રતા વિચાર તેમજ આચારમાં ઉતારવાની ટેવ પડે. જિનભદ્રના મત પ્રમાણે આ પ્રકારનું ધ્યાન શુકલધ્યાનનાં પગથિયાં જેવું છે કારણ કે સાધક બાર પ્રકારની અનુપ્રેક્ષા, વેશ્યા, વિવિધ પ્રકારનાં કર્મફળ વગેરેથી પરિચિત હોય છે. જીવનાં સ્વરૂપ વિષે સતત સભાનતા અને દેહ સાથે તેને સંબંધ સાચે માર્ગે જવામાં અત્યંત મહત્ત્વનાં છે. રત્નત્રયને સ્પષ્ટ સમજાવવામાં આ ધ્યાન પાયામાં રહેલું છે, અને ધર્મગ્રંથેનાં નિયમિત અધ્યયનથી આ ધ્યાનને દઢ બનાવવાનું છે. આ જાતને નૈતિક અને આધ્યાત્મિક નિગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy