SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ હોય છે. ઈંદ્ર અને પૃથ્વી પરના દેવની કૃપાથી માણસ શ્રેષ્ઠ પદવી અને સુખ મેળવવા તલસે છે. મનને સુબ્ધ કરતા આ ચાર પ્રકારના વિષય કષાય, ધિક્કાર અને અજ્ઞાનના પરિણામરૂપ છે. આ બધાને કારણે સંસાર પ્રત્યેની આસકિત વધે છે. પરલોકની ભાવના જાગૃત થતી નથી. રૌદ્ર ધ્યાન થવા દૂર અને ઉગ્ર ચિતન ચાર પ્રકારનું છે; મન હિંસા, અસત્ય ચોરી અને પરિગ્રહના રક્ષણમાં રોકાએલું રહે છે. જેમણે આંશિક વ્રત લીધાં હોય, કે વ્રત લીધાં જ ન હોય, તેવી વ્યકિતને દૂર વિચારો આવે છે. વારવાર આવા વિચારોથી ઉશ્કેરાટ અનુભવાય છે, અને સમ્યક્ દર્શનના પ્રભાવ પર માઠી અસર થાય છે. અત્યંત ક્રોધ કે દયાના અભાવને કારણે મારવાની, પછાડવાની, કાપવાની, બાંધવાની, બાળવાની અને ડામ દેવાની વિચારસરણી ચાલ્યા કરે છે. આ હિંસાનાં જ વિવિધ રૂપે છે. છેતરવાના, નિંદા કરવાના, બીભત્સ ભાષા બોલવાના, હાનિકારક કૃત્યોની પ્રેરણા આપવાના વિચારો આવ્યા કરે છે અને મિથ્યાવાણીમાં આનંદ આવે છે. તે જ રીતે ચોરી કરવાનું કે બીજાને લુંટવાને વિચાર અત્યંત લોભને પરિણામે આવે છે, અને તેનાથી બીજાને ત્રાસ કે હિંસા થાય છે. સંપત્તિને ઉપભોગ કરવાની કે જે પિતાનું નથી તેને મેળવવાની ઈચ્છા પ્રલોભન અને ત્રાસની માનસિક ભાવના ઉત્પન્ન કરે છે. આવા વિચારો ધ્યાનને ક્ષુબ્ધ કરી, સાંસારિક જીવનને મોહ તેમજ ઢોષ અને રાગ ઉત્પન્ન કરે છે. આ પરથી સ્પષ્ટ થશે કે નાદુરસ્ત વિચારોથી ક્ષુબ્ધ થએલાં બે પ્રકારનાં ચિંતન જીવની પ્રગતિને રૂધેિ છે અને અશુભ પ્રકારનાં નવાં કર્મોને જન્માવે છે. તેમને અપ્રશસ્ત કહેવામાં આવે છે. મોક્ષમાર્ગને તેઓ રોકી અવરોધ ઉત્પન્ન કરે છે અને મનુષ્યોને જન્મમૃત્યુનાં ચક્રમાં ફસાવે છે. ધર્મધ્યાન અથવા શુભ ધ્યાન એટલે દુઃખ અથવા આપત્તિ, કર્મફળ, વિશ્વનું બંધારણ વગેરેનું ધ્યાન. આ પ્રકારનું ધ્યાન કષાય અને જીવને દૂષિત કરે એવાં બીજાં કારણોથી મુક્ત હોય છે. આધ્યાત્મિક પ્રગતિની સાતમી અવસ્થામાં આ શક્ય બને છે. પદાર્થોનું સ્વરૂપ, ક્ષમા જેવા દશ પ્રકારના ગુણ, રત્નત્રય અને પ્રાણીઓનાં રક્ષણના વિચારમાં આ જાતનું ધ્યાન આવી જાય છે. રાગદ્વેષ, ઇંદ્રિયપભેગ અને બાહ્ય દૂષણ દૂર થાય છે અને મન આત્માના સ્વરૂપ પર એકાગ્ર થાય છે. આ દ અને શાંતિ સાથે સાધક ધ્યાન ધર્યો જાય છે. આર. વિલિયમ્સ “ધર્મેનું ભાષાંતર “નૈતિક એવું કરે છે. તે (૧) જિનને આદેશ જોવામાં (વાસાવવા) (૨) દુઃખકારક વસ્તુઓને જોવામાં (પથવિજય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy