SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ કુંદકુંદાચાર્યે દર્શાવ્યું છે કે તપશ્ચર્યાના પરિણામરૂપ સમત્વયુક્ત મન પ્રાપ્ત થયા પછી શબ્દો કે બાલવાની પ્રવૃત્તિમાંથી અટકી, પરમાત્માનાં સ્વરૂપનું ચિંતન કરી, સંપૂર્ણ એકાગ્રતા રાખવી. ઘણાખરા જૈન આચાર્યાએ ત્રણ પ્રકારના આત્મા માન્ય રાખ્યા છે : વહ્રિામા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા ઈન્દ્રિયાનેા બનેલા છે. અંતરાત્મા એટલે જીવ દેહ કરતાં ભિન્ન છે એવી સભાનતા. મુક્ત જીવ તે પરમાત્મા. વિવિધ પ્રકારનાં કર્મોની અશુદ્ધિઓમાંથી તે પૂર્ણ રીતે મુક્ત છે અને તેથી તે જ ધ્યાનને પાત્ર છે. ઉમાસ્વામી મનોવૃત્તિ પ્રમાણે ચાર પ્રકારનાં ધ્યાન કહે છે : આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધŻધ્યાન અને શુધ્યાન. પ્રથમ બે અશુભ છે જ્યા૨ે છેલ્લાં બે શુભ છે. આર્તધ્યાન એટલે એનું ચિંતન જેમાં દુ:ખમય, શાકમય કે અરુચિકારક વિષયોથી ચિત્ત ક્ષુબ્ધ રહે છે. વિષ, તીક્ષ્ણ કાંટા, શત્રુ, શસ્ત્ર વગેરે અરુચિકારક છે. આ પદાર્થો દુઃખ ઉપજાવે છે અને મનુષ્યનું મન દુ:ખના વિચારોથી કે આ વિષયામાંથી છુટકારો મેળવવાના વિચારોથી ક્ષુબ્ધ રહે છે. ક્ષુબ્ધતા ચાર પ્રકારની છે: અરુચિકર પદાર્થની ઉપસ્થિતિનું ચિંતન અને તેમાંથી મુક્ત થવાની ચિંતા, ઈષ્ટ વસ્તુને ગુમાવવા વિષે ચિંતન અને તેને પુનઃ પ્રાપ્ત કરવાની ચિંતા. દુ:ખ અને રોગના સતત વિચાર અને તેને દૂર કરવાની ઇચ્છા. ઈંદ્રિય દ્વારા દરેક મનુષ્ય અનેક અનુભવ કર્યા હોય છે. આ અનુભવેવા સુખદ કે દુ:ખદ હોય છે. અનુભવા જો દુ:ખદ હાય તો ઇચ્છા તેમનાથી મુક્ત થવાની હોય છે અને અનુભવા જો સુખદ હોય તો ઇચ્છા તેમના સતત ઉપભાગ કરવાની રહે છે. દુ:ખમુક્ત થવાની ઇચ્છા માણસને સતત પીડે છે અને તેની શાંતિને લુપ્ત કરે છે. માણસની એકાગ્રતા તૂટી જાય છે અને તે વર્તમાનકાળ કે ભવિષ્યને માટે ચિંતાતુર થવા લાગે છે. તેને માથાના કે પેટના દુખાવાની પીડા સહન કરવી પડે છે. આ દર્દથી મુક્ત થવા તે ઇચ્છે છે અને આરામ થાય તે માટેની દવા મેળવવા આતુર બને છે. જીવનમાં ઘણી વસ્તુ માટે આસક્તિ હોય છે. સંબંધ ચાલુ રાખવાની તીવ્ર ઇચ્છા હોય છે અને તેમનાથી છુટાં પડી જવાની ચિંતા હોય છે. સામાન્ય માણસને સ્વભાવ એવા હોય છે કે સુખદ વસ્તુઓ અને અનુભવાના સંપર્ક ચાલુ રાખવા તેને ગમે છે. આ બધાંથી વિમુકત થતાં તેને અણગમા થશે. રાજા અને દેવેશની સ્તુતિ કરી તેમની પાસેથી અહીં કે પરલોકમાં લાભ મેળવવાની આશાએ તેમના આશીર્વાદ કે પ્રસાદ મેળવવાની પણ ઈચ્છા થતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy