SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ યથાર્થ જ્ઞાન. સાચાં જ્ઞાનનું તે નિમિત્ત કારણ છે અને શંકા, અસ્પષ્ટતા કે વિકૃતિથી તે મુકત છે. સત્ય અને અસત્ય વચ્ચેના વિવેકનો અભાવ મિથ્યાજ્ઞાનને ઉત્પન્ન કરે છે. વળી માનસિક અને શારીરિક બાધાઓ પણ ખાટું વલણ ઉત્પન્ન કરે છે અને તે પણ મિથ્યાજ્ઞાનને ઉત્પન્ન કરે છે. વસ્તુઓ જુદાં જુદાં લક્ષણા ધરાવે છે જે માત્ર સર્વજ્ઞો વડે જ ગ્રાહ્ય હોય છે. માનવગ્રહણ અને જ્ઞાનની મર્યાદા હાવાથી ઘણી વખત આપણે વસ્તુને આંશિક રીતે જોઈએ છીએ. આ નય છે. બાલનારનાં મનમાં રહેલાં વિશિષ્ટ લક્ષણનું તે નિરૂપણ કરે છે તેથી તેને દષ્ટિબિંદુ (નય)નો વાદ કહે છે. નય: જ્ઞાતુમિત્રાય:. નયવાદ આમ નય, બાલનારના વિશિષ્ટ દૃષ્ટિકોણનું જ નિરુપણ કરે છે પણ બાકીના ગુણાનાં અસ્તિત્વને તે નકારતા નથી. આપણે સાનાનાં રંગ વિષે વાત કરીએ ત્યારે તેનાં વજન, સ્પર્શ, સ્વાદ, વાસ અને બીજા ગુણો વિષે કાંઈ કહેતાં નથી પણ આપણા કહેવાના અર્થ એ નથી કે રંગ ઉપરાંત સેાનું બીજા ગુણા નથી ધરાવતું. પૂજ્યપાદે નયની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : એવી યુક્તિ, જે એક નિશ્ચિત દૃષ્ટિબિંદુ અનુસાર પદાર્થના ઘણા ગુણામાંથી (વિરોધ વગર) માત્ર એક જ ગુણનો નિશ્ચય કરવા સમર્થ છે. તેના બે પ્રકારો છે: પ્રાથિ : પદાર્થોના સામાન્ય ગુણને તે વર્ણવે છે. પદાર્થ નિત્ય જે રૂપાંતરો અનુભવે છે તેના ઉલ્લેખ કરતો નથી. પર્યાયચિ: પદાર્થનાં સતત પરિવર્તન અનુભવતાં લક્ષણાના નિર્દેશ કરે છે. નયાનું નીચે પ્રમાણે પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છેઃ (૧) વૈશમ (૨) સં×દ્ (૩) વ્યવહાર (૪) ૠગુસૂત્ર (૫) રાજૂ (૬) સમમિષ્ઠ અને (૭) ભૂત. પ્રથમ ત્રણ દ્રવ્યાર્થિકના ઉપવિભાગો છે કારણ કે તેઓ વસ્તુને નિરુપે છે જ્યારે છેલ્લા પર્યાયાર્થિક છે કારણ કે તેઓ દ્રવ્યનાં રૂપાંતર સાથે સંબંધ ધરાવે છે. સત્તા અનંત ગુણ ધરાવતી હોવાથી અસંખ્ય દૃષ્ટિબિંદુથી તેને જોઈ શકાય. જૈન દાર્શનિકોએ માત્ર સાત નયની જ ચર્ચા કરી છે. (૧) નૈગમનય — પ્રતીકાત્મક દૃષ્ટિબિંદુ, જે કોઈ વસ્તુ પૂર્ણ થવાની બાકી હાય તેને અનુલક્ષીને કહેવામાં આવ્યું હોય છે. પૂજયપાદ બળતણ, પાણી વગેરે એકઠાં કરતા માણસનું ઉદાહરણ આપે છે. એ શું કરે છે એવું પૂછવામાં આવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy