SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ કરતા શ્લોકો મળે છે. સૂર્ય, ઈન્દ્ર અને અગ્નિ. આ ત્રણ વૈદિક સમયના પ્રમુખ દેવતાઓ છે. વરુણ સૃષ્ટિની વ્યવસ્થાના સંરક્ષક, સર્વવ્યાપી અને લોકોને તેમના પાપની સજા કરનારા દેવ મનાતા હતા-પૂજાવિધિમાં યજ્ઞ અત્યંત મહત્ત્વનો હતો. દેવની કૃપા મેળવવા તેમને સંતુષ્ટ કરવા એ યજ્ઞનો પ્રધાન હેતુ હતા. પાછળથી, બ્રાહ્મણોના સમયમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવ્યા. ઉપનિષદોના સમય દરમ્યાન પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત પ્રચલિત થયા. પુનર્જન્મમાંથી મુકિત મેળવવા માટે આત્માને બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરવો જોઈએ એવું મનાયું. મનુષ્ય જ્યારે બ્રહ્મની અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે હર્ષ અને શોકમાંથી મુકત બને છે. ઉપનિષદોના સાહિત્યમાં સર્વત્ર વ્યકિતના અને સમષ્ટિના આત્માનું એકય, પુન: પુનઃ, જુદી જુદી રીતે દર્શાવાયું છે. સમષ્ટિના આત્માના ઐકયનાં સ્વરૂપ અને લક્ષણોનાં જુદાં જુદાં અર્થઘટન કરવામાં આવ્યાં છે. ઉપનિષદોને પ્રધાન વિષય “તરવસ’–‘તું (વ્યકિત) તે (સમષ્ટિ) છે” એવો છે. હિન્દુ ધર્મના આ મૂળ સિદ્ધાંત અને જૈન ધર્મ વચ્ચે ઘણું ઓછું સામ્ય છે. શ્રીમતી એન. આર. ગુસેવાએ બંને ધર્મની ભિન્નતાના મુદ્દા નોંધ્યા છે: “વૈદિક બ્રાહ્મણ ધર્મથી જૈન ધર્મ ઓછામાં ઓછા આઠ મુદ્દાઓથી જુદો પડે છે. આ મુદ્દાઓ એટલા બધા વજુદવાળા છે કે તે જૈન ધર્મને બ્રાહ્મણ ધર્મનો સંપ્રદાય કે બીજી કોઈ પ્રકારની ઉપજ માનવાની કોઈ શકયતાને પુષ્ટ કરતા નથી. આ મુદ્દાઓ આ પ્રમાણે ગણાવી શકાય : જૈન ધર્મ (૧) વેદોની પવિત્રતાને સ્વીકાર કરતો નથી. (૨) દેવ પૂજાના મુખ્ય લક્ષ્ય છે એ સિદ્ધાંતને તે પ્રતિવાદ કરે છે. (૩) હિંસક યજ્ઞો તેમ જ બ્રાહ્મણ ધર્મના ઘણાં ક્રિયાકાંડોને અસ્વીકાર કરે છે. (૪) બ્રાહ્મણ સમાજની વર્ણવ્યવસ્થાને સ્વીકાર કરતા નથી. (૫) બીજાના જીવનની રક્ષા કરવાનો આદેશ આપે છે. (૬) સાધુ ધર્મને આદેશ આપે છે. (૭) અનુષ્ઠાન વખતે નગ્ન રહેવાનો આદેશ આપે છે. (૮) સ્ત્રીઓને સાધુવૃત્તિ તેમજ ધર્મગ્રંથોના વાચન વગેરેની છુટ આપે છે.” હું ઉમેરવાની રજા લઉં કે સૃષ્ટિ પરમેશ્વરે સર્જી કે પરમેશ્વર સૃષ્ટિને રક્ષક છે એવું જૈન ધર્મ માનતા નથી તો પણ આ બંને ધર્મો અને બૌદ્ધ ધર્મમાં ત્રણ તો સમાન છે : (૧) જીવના પુનર્જન્મની માન્યતા (૨) કર્મનો સિદ્ધાંત જેના અનુસાર દરેકે પોતાનાં કર્મનાં ફળ ભોગવવાનાં હોય છે. (૩) મુકિત અથવા મોક્ષ પ્રાપ્તિની શક્યતામાં માન્યતા. આ ત્રણ તો બ્રાહ્મણ ધર્મો વેદવિરોધી ધર્મોમાંથી લીધાં અને આનો અર્થ એવો થયો કે આર્યો આ તત્ત્વોને જૈન ધર્મમાં લાવે એવી સંભાવના નહીંવત્ છે. Jain Education International national For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy